ચીનના શિક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પર એક નોટિસ જાહેર કરી છે, કે તમામ વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કે જેમણે તેમની સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ તરફથી નોટિસ મેળવી નથી તેઓ આગળની સૂચનાઓ સુધી તેમની કોલેજો અથવા યુનિવર્સિટીઓ પરત નહીં આવે. આ મામલે ભારતીય દૂતાવાસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગયા વર્ષે ચીનમાં 23 હજાર ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા
23 માંથી 21 હજારથી વધુ વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે ગયા હતા
વિદ્યાર્થી-શિક્ષક ચાઇનીઝ નવા વર્ષની રજા દરમિયાન ભારત પાછા ફર્યા
કોરોના સંકટ અને ચીન સાથેના તાજેતરના સરહદ વિવાદ વચ્ચે, ભારતીય દૂતાવાસે ચીની સત્તાવાળાઓને જાણ કરી દીધી છે કે, ચીનમાં મોટી સંખ્યામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને, વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકો આગળની સૂચના સુધી તેમની કોલેજમાં પાછા નહીં ફરે.
ગયા વર્ષના આંકડા અનુસાર ચીનમાં 23000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ
ગયા વર્ષના આંકડા મુજબ, 23,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા હતા. તેમાંથી, 21,000 થી વધુએ MBBS નો અભ્યાસ કરવા એડમિશન લીધું હતું. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ આ વર્ષની શરૂઆતમાં ચીની નવા વર્ષની રજાઓ દરમિયાન પરત ફર્યા હતા અને તે દરમિયાન કોરોના મહામારી ચીનમાં ફેલાવા લાગી હતી.
ચીને પ્રવેશ નકાર્યો
ભારતીય દૂતાવાસે જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આ વર્ષની શરૂઆતમાં, કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી, ચીની સરકારે વિદેશીઓના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે કેટલીક કેટેગરીમાં, અપવાદો સાથે નવા વિઝા મેળવી શકાતા હતા, જો કે વિદેશી વિદ્યાર્થીઓ આમાંથી કોઈપણ કેટેગરીમાં સામેલ નથી.
ચીનના શિક્ષણ મંત્રાલયે તેની વેબસાઇટ પર એક નોટિસ મૂકી છે કે, તમામ વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકો કે જેમણે તેમની સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓ તરફથી નોટિસ નથી લીધી, તેઓ આગળની સૂચનાઓ સુધી તેમની કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં પરત નહીં આવી શકે.
કોલેજો સાથે સંપર્કમાં રહેવાની સલાહ
આ પ્રેસ નોટમાં જણાવાયું છે કે દૂતાવાસ દ્વારા ચીની શિક્ષણ મંત્રાલય સહિતના ચીની અધિકારીઓ સામે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાઓને ઉજાગર કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓના ચીન પરત ફરવા અંગેના તેમના વલણ અંગે ચીની અધિકારીઓના પ્રતિસાદની રાહ જોવાઇ રહી છે. કેટલાક અપડેટ્સ મળતાંની સાથે જ માહિતી આપવામાં આવશે.
દૂતાવાસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચીનમાં ભારતીય દૂતાવાસ અથવા કોન્સ્યુલેટની વેબસાઇટ અને અમારી સોશ્યલ મીડિયા ચેનલો પર પણ નજર રાખે, જેથી વિદેશી વિદ્યાર્થીઓને ચીનમાં પાછા ફરવા અંગેના કોઈપણ અપડેટ તેમને મળી શકે અને ભારતીય વિદ્યાર્થીઓને તેમની સંબંધિત યુનિવર્સિટીઓ અથવા કોલેજો સાથે પણ સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.