છેલ્લા કેટલાય સમયથી ભારત ચીન વચ્ચે ચાલતા વિવાદને લઈને દેશમાં હાલ ગરમીનો માહોલ છે. દિલ્હીમાં આ વાતને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠાક યોજાઇ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવામાં આવ્યું છે.
LAC પર તણાવ મુદ્દે મહત્વની બેઠકઃ સૂત્ર
PM મોદીની NSA સાથે મહત્વની બેઠકઃ સૂત્ર
LAC પર હાલાતને લઈને બેઠકમાં ચર્ચાઃ સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ પણ સામેલ થયા હતા. આ હાઇલેવલ મિટિંગમાં રક્ષા વીબાહગના ઉચ્ચાધિકારીઓ સહિત સેનાના અધિકારીઓ પણ સામેલ થયા હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી છે.
શું છે ભારત ચીન વિવાદની અપડેટ?
થોડા સમય પહેલા મોસ્કોમાં ભારતના રક્ષા મંત્રી અને ચીનના તેમના સમકક્ષ વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જેમાં ડીએસ્કેલેશનને લઈને ચર્ચા થઈ હોવાની જાણકારી મળી હતી. આ જ શ્રેણીમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની પણ બેઠક યોજાઇ ગઈ છે. સાથે જ સરહદ પર ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની ઘણી વાતચીતના રાઉન્ડ થઈ ચૂક્યા છે. જેમાં ચીન તેના સૈનિકો પાછળ હટાવવાની વાત તો કરે છે પરંતુ તેનું પાલન કરી રહ્યું નથી. આથી સરહદ પર તંગદિલી હજુ યથાવત છે. ચીન ભારતના કબજા વાળા બ્લેક ટોપ ઉપરથી ભારતીય સેનાને હટાવવા માંગે છે.
ચીન સાથેના આ વિવાદની બહરત્ન વિપક્ષો દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.
રાહુલ ગાંધીએ સીમા વિવાદ મામલે સરકારને ઘેરી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ સીમા વિવાદ મામલે મોદી સરકારને ઘેરી છે. તેમણે ચીનની ભારતમાં ઘૂષણખોરી મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી ચીનને ભારતીય જમીનમાંથી ભગાવવાની જવાબદારી નથી લઈ રહ્યા.. ચીન દેશની જમીન પર કબ્જો કરી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા.. રાહુલ ગાંધી સરકાર પર આક્રમક પ્રહાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ સાથી પક્ષ એનસીપીના નેતા શરદ પવાર રાહુલ ગાંધીને આ મુદ્દે આક્ષેપ્રત્યાક્ષેપ ન કરવા સલાહ આપી રહ્યા છે અને સીમા મુદ્દે આક્ષેપોથી બચવા કહી રહ્યા છે.