બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / Amid ongoing tensions, China made a big statement, saying "India is ready to believe that ..."

લદ્દાખ બોર્ડર / ચાલી રહેલા તણાવની વચ્ચે ચીને કર્યું મોટું નિવેદન,કહ્યું "ભારત આ વાત માનવા તૈયાર છે કે.."

Nirav

Last Updated: 07:33 PM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદાખમાં તણાવને લઈને ભારત અને ચીન વચ્ચે બંને દેશોના પ્રતિનિધિઓ એ પણ ચર્ચા કરી હતી. Working Mechanism for Consultation and Cooradination બેઠક બાદ ચીને દાવો કર્યો છે કે ભારત એ પણ તેને લાગૂ કરવા માટે સંમતિ આપી છે.

  • સરહદે તણાવ વચ્ચે ચીને કરી આ મોટી વાત 
  • ચીને કહ્યું, "ભારત અમારી વાત માનવા તૈયાર છે"
  • બંને દેશો પાંચ મુદ્દાના કરારને લાગૂ કરવા રાજી 

ચીન એ દાવો કર્યો છે કે મોસ્કોમાં બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે સ્થાપિત થયેલ પાંચ મુદ્દાના કરારને લાગુ કરવા માટે ભારત એ સંમતિ આપી છે. ચીનના વિદેશ મંત્રાલય એ ભારત-ચીન સરહદના મુદ્દાઓ પર સલાહ અને સંકલન માટેના કાર્યકારી મિકેનિઝમ અંગે નિવેદન બહાર પાડ્યું છે. 

બંને દેશો પાંચ મુદ્દાના કરાર ને લાગૂ કરવા સંમત થયા હતા

ચીની વિદેશ મંત્રાલય ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે WMCC ની 19 મી બેઠક 30 સપ્ટેમ્બર 2020 ના રોજ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. બંને પક્ષોએ ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાડ વિષે ચર્ચાઓ કરી હતી. બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે મોસ્કોમાં થયેલા કરાર ને લાગુ કરવા બંને દેશો સંમત થયા. આ સાથે, સરહદના મુદ્દાઓ પર સર્વસંમતિને અનુસરવા અને વધુ સારી સ્થિતિ બનાવવા માટે સહમતી સધાણી હતી. 

ટૂંક સમયમાં સાતમા રાઉન્ડની કમાન્ડર લેવલની વાતચીત કરવામાં આવશે

પરિસ્થિતિને શાંત પાડવા અને વધુ જટિલ ન બનાવવા જેવી કિયાઓ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારત અને ચીન એ  કમાન્ડર-સ્તરની વાતચીતના છઠ્ઠા રાઉન્ડના પરિણામનું મૂલ્યાંકન કર્યું અને લશ્કરી-રાજદ્વારી વાતચીત જાળવવા સંમત થયા. સાતમા રાઉન્ડમાં વહેલી તકે વાટાઘાટો કરવાનો અને જમીનની સ્થિતિને વધુ સારી રીતે પતાવવાની સંમતિ આપવાનું પણ નક્કી કરાયું હતું.

ભારત એ ચીન ના દાવાને નકારી દીધો

ભારત એ  અગાઉ ચીન ના દાવાને નકારી દીધો હતો કે બેઇજિંગ લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ ( LAC ) ના નિર્ધારણ પર એકપક્ષીય વલણ ધરાવે છે પરંતુ ભારત તેના 1959 ના ચીની વલણને સ્વીકારતું નથી અને જૂના સ્ટેન્ડ પર જ કાયમ રહે છે.

ભારતીય વિદેશ મંત્રાલય ના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત એ 1959 માં 'એકપક્ષીય' વ્યાખ્યાયિત કરાયેલી લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલને ક્યારેય સ્વીકારી નથી, અને ચીન ને તેની સુપેરે જાણ છે. ભારતીય વિદેશ મંત્રાલય એ આશા વ્યક્ત કરી હતી કે ચીન કહેવાતી સરહદનું 'ગેરકાયદે એકપક્ષીય અર્થઘટન' કરવામાંથી બચશે.

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Ministry LAC india china faceoff india vs china ladakh border ચીન ભારત લદ્દાખ વિદેશ મંત્રાલય ladakh border
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ