મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે નવા નિયમ લાગુ પાડ્યાં છે. ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકારે કેટલાક ખાસ નિયમ બનાવ્યા છે. ઘરેલુ પ્રવાસીઓએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેવા પડશે અથવા તો 72 કલાક જુનો RT-PCR ટેસ્ટ સાથે રાખવો પડશે. જા કોઈ પ્રવાસી કે વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરતો જણાય તો તેને 500 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવી પણ નવા નિયમમાં જોગવાઈ કરાઈ છે.
All travellers into state from any int'l destination shall be governed by directions of Govt of India in this respect. Domestic travellers shall either be fully vaccinated or carry RT-PCR test valid for 72 hrs. pic.twitter.com/rSQBik6aPQ
ઘરેલુ યાત્રીઓ માટે બન્ને ડોઝ અથવા 72 કલાકનો RT-PCR ટેસ્ટ જરુરી
મહારાષ્ટ્ર સરકારે ઘરેલુ પ્રવાસીઓ માટે પણ કેટલાક નિયમ બનાવ્યાં છે. પહેલા નિયમમાં ઘરેલુ પ્રવાસીઓએ તેમની યાત્રા દરમિયાન બન્ને ડોઝના પ્રમાણપત્ર અથવા 72 કલાકનો RT-PCR ટેસ્ટ સાથે રાખવો જરુરી છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર પાસેથી 500 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે.
ઘણા દેશોએ ફ્લાઈટ પર મૂક્યો પ્રતિબંધ
ઓસ્ટ્રિયા, કેનેડા, જર્મની, બ્રિટન, અમેરિકા, ઇટાલી, ઇઝરાયલ અને નેધરલેન્ડ સહિતના અનેક દેશો દ્વારા દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવ્યા બાદ કેનેડાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં મુસાફરી કરવા પરત ફરેલા મુસાફરોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.