લોકલ સર્કલ્સના એક સર્વેમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન ફેલાવાનું કારણ લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં બેદરકારી વર્તી રહ્યા છે.
કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા લોકો જેથી...
શું ઓમિક્રોન વેરિએન્ટ બાદ લોકો સજાગ થયા? જવાબ તમને ચિંતામાં નાંખી દેશે
દેશભરમાં 303 જિલ્લાના 25000થી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા
નવા વેરિએન્ટ ઓમિક્રોનથી 50થી વધારે મામલા આવી ચૂક્યા છે
ભારતમાં ગત 10 દિવસમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી 50થી વધારે મામલા આવી ચૂક્યા છે. તેમ છતાં ભારતમાં સોશિયલ રસીના રુપમાં સામાજિક અંતરના પાલનમાં બેદરકારી જોવા મળી છે. લોકલ સર્કલ્સના એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે એ વાતને સમજવા માટે કરવામાં આવ્યો હતો કે શું ઓમિક્રોન વેરિએન્ટ બાદ લોકો સજાગ થયા? આ સર્વેના પરિણામ કહે છે કે દેશમાં રસી લગાવી ચૂકેલા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે અને રોજના સંક્રમણના મામલા 10,000થી નીચે આવી રહ્યા છે.
કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યા લોકો જેથી...
એવી સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં બેદરકારી વર્તી રહ્યા છે. જ્યારે કોરોનાથી બચવાનો એક માત્ર અને પાક્કો ઉપાય માસ્ક પહેરવું અને સામાજિક અંતરનું પાલન કરવાનું છે.
WHOએ ઓમિક્રોનને સૌથી ખતરનાક સ્વરુપ ગણાવ્યો
WHOએ ઓમિક્રોનને કોરોનાના અન્ય સ્વરુપોમાંથી સૌથી ખતરનાક ગણાવ્યું છે. WHOએ 26 નવેમ્બરે આને ચિંતાજનક સ્વરુપ ગણાવતા ઓમિક્રોન નામ આપ્યું છે. ચિંતાજનક સ્વરુપ WHOની કોરોનાની વધારે ખતરનાક સ્વરુપની મુખ્ય શ્રેણીમાં છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને પણ આ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયમાં આ વેરિએન્ટ 77 દેશમાં ફેલાઈ ચૂક્યો છે.
દેશભરમાં 303 જિલ્લાના 25000થી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા
લોકસર્કલ્સના આ સર્વેમાં દેશભરમાં 303 જિલ્લાના 25000થી વધારે લોકોને સામેલ કરવામાં આવ્યા. સર્વેક્ષણમાં આ લોકોને પુછવામાં આવ્યું કે તેમના શહેર, જિલ્લા કે ક્ષેત્રના લોકો હવે સામાજિક અંતરનું પાલન કેવી રીતે કરે છે. જેમાંથી 83 ટકા લોકોએ કહ્યું કે તેમના વિસ્તારમાં સામાજિક અંતરનું પાલન હવે નામ માત્ર અથવા બિલકુલ નથી.
2 ટકા લોકોનું કહેવું હતું કે 60-90 ટકા લોકો આ દિશા નિર્દેશોનું અનુપાલન કરી રહ્યા છે
ફક્ત 11 ટકા પ્રતિભાગીઓએ કહ્યું કે 30-60 ટકા લોકો હજું પણ આનું પાલન કરે છે. ત્યારે 2 ટકા લોકોનું કહેવું હતું કે 60-90 ટકા લોકો આ દિશા નિર્દેશોનું અનુપાલન કરી રહ્યા છે. ત્યારે 4 ટકા આના પર કોઈ રાય નથી આપી રહ્યા.