વિશેષજ્ઞોનું માનવું છે કે હાઈ સીરો પોજિટવિટી રેટના કારણે સાજા થનારાની સંભાવના છે.
હાઈ સીરો પોઝિટિવિટી રેટના કારણે સાજા થનારાની સંભાવના-વિશેષજ્ઞો
મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલાથી એન્ટીબોડી
શરુઆતના ડેટા મુજબ આ લક્ષણો માઈલ્ડ દેખાય છે
હાઈ સીરો પોઝિટિવિટી રેટના કારણે સાજા થનારાની સંભાવના -વિશેષજ્ઞો
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો ઓમિક્રોનના શિકાર થયા છે. આ દરમિયાન વિશેષજ્ઞોનું માનવું છે કે હાઈ સીરો પોઝિટિવિટી રેટના કારણે સાજા થનારાની સંભાવના છે. વિશેષજ્ઞોએ રસીકરણ અને કોરોના ગાઈડલાઈનું પાલન કરવાની સલાહ આપી છે.
મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલાથી એન્ટીબોડી
સીએસઆઈઆર- સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલર(CCMB)ના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે ભારતને 70-80 ટકા સીરો પોઝિટિવિટી રેટ ફાયદો છે. મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલાથી એન્ટીબોડી છે. ટાટા ઈન્સ્ટીટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટી (TIGS) બેંગલુરુમાં હાજર ડાયરેક્ટર મિશ્રાએ જણાવ્યું છે કે લોકોને ઉપલબ્ધ સુરક્ષાને જોતા જો કોઈ સંક્રમિત થાય છે કો આ માઈલ્ડ હશે. બહું અસર નહીં હોય.
શરુઆતના ડેટા મુજબ આ લક્ષણો માઈલ્ડ દેખાય છે
તેમણે આગળ કહ્યું કે જો રસીકરણનો દાયરો વધારવામાં આવે છે અનં બાળકોને રસી લગાવવામાં આવે છે તો આનાથી મોટા પાયે મદદ મળશે. ઓમિક્રોન વેરિએન્ટ ખતરનાક થવાને લઈને તેમણે કહ્યું છે કે હાલ શરુઆતના ડેટા જ સામાન્ય છે અને શરુઆતના ડેટા મુજબ આ લક્ષણો માઈલ્ડ દેખાય છે. જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે આનો મતલબ એ નથી કે માસ્ક ન લગાવવામાં આવે નિયમોનું પાલન ન કરવામાં આવે. વાયરસને ફેલાતો રોકવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન બહું જરુરી છે.
ઓમિક્રોન વેરિએન્ટ વગર પણ યુરોપના અનેક દેશોમાં ત્રીજી લહેર આવી જેથી આપણે સાવધાન રહેવાની જરુર
ત્રીજી લહેરની આશંકા અંગે પુછાતા તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ વગર પણ યુરોપના અનેક દેશોમાં ત્રીજી લહેર આવી રહી છે અને જારી છે. તેવામાં આપણે સાવધાન રહેવાની જરુર છે. બીજી લહેર બાદથી આપણે પહેલા કરતા સારી રીતે તૈયાર છીએ. જો એવું કંઈ થાય છે તો હોસ્પિટલમાં દાખલ થવા અને ઓક્સિજનની અછતમાં સમસ્યા નથી જોવા મળી રહી.