લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર પરિસ્થિત સતત તણાવપૂર્ણ થઈ રહી છે. વાતચીતના પ્રયત્નો છતાં પૂર્વ લદ્દાખના વિસ્તારમાં ચીની સેનાએ ભારતીય ચોકી તરફ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જવાબ આપ્યો હતો. હવે એલએસી પર તણાવની વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આપણે આસ્થિતિમાં ચીન સાથે વાતચીત કેમ કરી રહ્યા છીએ?
પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીને પોતાની યાત્રા રદ્દ કરવા કહેવું જોઈએ : સુબ્રમણ્યમ સ્વામી
સ્વામીએ કહ્યું કે આ આપણા સંકલ્પને ઓછું કરે છે
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કરી છે કે, ‘વિદેશ મંત્રી જયશંકરે મોસ્કોમાં પોતાના ચીની સમકક્ષને કેમ મળવું છે? ખાસ કરીને રક્ષા મંત્રીઓની મલાકાત બાદ? 5 મે 2020 બાદ ભારત પાસે ચીન સાથે વિદેશી નીતિ પર કોઈ વિવાદ ઉકેલવાની જરુર નથી. એટલા માટે પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીને પોતાની યાત્રા રદ્દ કરવા કહેવું જોઈએ. આ આપણા સંકલ્પને ઓછું કરે છે.’
ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં LAC પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગત રાતે ફાયરિંગ થયું છે. 1975 બાદ પ્રથમવાર સીમા પર ભારત અને ચીન વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. LAC પર બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી તાણવ છે. ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ ભારત તરફથી પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું. જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
Why does the Foreign Minister Jaishankar have to meet his Chinese counter part in Moscow? Especially after the Defence Ministers have met? India has no foreign policy issues to settle since may 5, 2020. Therefore PM must ask the EAM to cancel his trip. It dilutes our resolve.
ઉલ્લેખનીય છે કે PLA વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઈલીએ ખુલાસો કર્યો કે ભારતીય સેનાએ ગેરકાયદે પૈંગોંગ સરોવરના દક્ષીણ કિનારા પાસે શેનપાઓ પહાડમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પાર કરી છે. ભારતીય સેનાના સૂત્રો તરફથી ખરાઈ કરવામાં આવી કે વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. સીમા પર તૈનાત સૈનિક ત્યારથી હાઈ અલર્ટ પર છે જ્યારથી તેમને કાલા ટોપ અને હેલમેટ ટોપને પોતાના નિયંત્રણમાં લીધુ છે. ચીની સૈનિક આ બન્ને પહાડ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા હતા. તે સમયે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછા ખદેડ્યા હતા.
ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકર આજે રશિયા જવાના છે. તેઓ SCOની બેઠકમાં ભાગ લેશે. SCOની બેઠકમાં ચીનના વિદેશમંત્રી પણ ભાગ લેવાના છે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ આ બેઠક માટે પહેલા જ ત્યાં પહોંચી ગયા છે. એટલું જ નહીં ચીનના રક્ષા મંત્રીની વિનંતી પર તેમણે ચીનના રક્ષા મંત્રી સાથે એલએસી મુદ્દે મોસ્કોમાં બેઠક પણ કરી હતી. જોકે અંતે ચીને રંગ બદલીને સરહદના તણાવ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે નિવેદન આપ્યું હતું કે જે કંઈ થશે તેના માટે ભારત જવાબદાર રહેશે.