એક તરફ આખી દુનિયા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાન ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે. કોરોના વાયરસ જેવા મોટા પડકારનો સામનો કરવા માટે સાર્ક દેશોના પ્રમુખોની વીડિયો કોન્ફરન્સિંગમાં પાકિસ્તાનના પ્રતિનિધિએ કાશ્મીર રાગ છેડ્યો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર રાગ છેડ્યો છે.
પાકે. ભારતના કાશ્મીર રી-ઓર્ગનાઇઝેશન ઓર્ડર 2020ની ટીકા કરી
ઇમરાન ખાને ભારત સરકાર દ્વારા 1 દિવસ પહેલા જાહેર કરાયેલા જમ્મૂ કાશ્મીર રી-ઓર્ગનાઇઝેશન ઓર્ડર 2020ની ટીકા કરતા તેને રાજ્યની 'ડિમૉગ્રાફીને બદલવાની કોશિશ' બતાવી છે.
ઇમરાન ખાન અને પાકિસ્તાન આમ તો ગત વર્ષે ઓગસ્ટથી જ કાશ્મીર મુદ્દા પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચારના એજન્ડામાં લાગેલું છે. આર્ટિકલ 370ને દૂર કરવાના ભારતના આંતરિક મામલાને પાકિસ્તાન દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોશિશ કરતુ રહ્યું છે પરંતુ તેને કોઇ સફળતા મળી નહીં.
જમ્મૂ કાશ્મીર રી-ઓર્ગેનાઇઝેશન ઓર્ડર 2020થી છંછેડાયેલા ઇમરાન ખાને તેને કાશ્મીરમાં 'ભારતનો આતંકવાદ' સુધી બતાવ્યો છે. આતંકવાદનો ઉછેર કરવા માટે કુખ્યાત અને તેનો હંમેશા પોતાની વિદેશનીતિમાં હથિયાર તરીકે ઉપયોગ કરનાર પાકિસ્તાને તેનાથી ઉલટ ભારત પર તર્કહીન આરોપ લગાવ્યો છે.
We strongly condemn the racist Hindutva Supremacist Modi Govt's continuing attempts to illegally alter the demography of IOJK in violation of all international laws & treaties. The new Jammu and Kashmir Reorganization Order 2020 is a clear violation of the 4th Geneva Convention.
ઇમરાન ખાને ગુરુવારે એક પછી એક કુલ 3 ટ્વિટ કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ઇમરાન ખાને લખ્યું, તમામ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને બાજૂએ રાખતા જમ્મૂ કાશ્મીરના ડિમોગ્રાફીને ગેરકાયકીય રીતે બદલવાની વંશવાદી હિન્દુત્વ શ્રેષ્ઠતા વાળી મોદી સરકારની સતત કોશિશોની અમે કડક નિંદા કરીએ છીએ. નવી જમ્મૂ અને કાશ્મીર પુનર્ગઠન આદેશ 2020 ચોથા જિનેવા કન્વેન્શનનું સીધુ ઉલ્લંઘન છે.
અન્ય એક ટ્વિટમાં ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે હાલ દુનિયાનું ધ્યાન કોરોના વાયરસની મહામારી પર છે અને ભારત આ વાતનો જ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાને કાશ્મીર રાગ છેડ્તા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે ભારતને 'યુએનએસસી પ્રસ્તાવો' અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાથી રોકે. અન્ય એક ટ્વિટમાં ઇમરાન ખાને લખ્યું છે પાકિસ્તાન 'ભારત પ્રાયોજિત આંતકવાદ' અને કાશ્મીરીઓને 'સ્વનિર્ણયના અધિકારથી વંચિત' રાખવાનો 'પર્દાફાશ' કરવાનું જારી રાખશે.