કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો 26થી 28 નવેમ્બર સુધી ‘દિલ્હી ચલો’ (Delhi Chalo March) આંદોલન ચલાવી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ કિંમતમાં કૃષિ કાયદો ન તો પાછો લેવામાં આવશે ન તેમાં ફેરફાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુંસાર સરકાર તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં છે.
કોઈ પણ કિંમતમાં કૃષિ કાયદો પાછો લેવામાં નહીં આવે- સૂત્રો
ન તો કૃષિ કાયદામાં ફેરફાર આવશે- સૂત્રો
જે કાયદો બનાવવામાં આવ્યો છે તે ખેડૂતોના હિતમાં છે- સૂત્રો
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને લઈને દિલ્હી હરિયાણાની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી ફરીદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુંસાર આવન જાવન કરતા તમામ વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તૈનાત છે. સીનિયર ઓફિસર સતત નજર રાખી રહ્યા છે. અમે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ. ખેડૂતોની રેસીને જોતા દિલ્હી એનસીઆરમાં મેટ્રો બપોરે 2 વાગે બંધ કરી દેવામાં આવી છે.
આ સ્ટેશનમાં નોઈડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સુધી એન્ડ ટુ એન્ડ સર્વિસ મળશે નહીં. બ્લૂ લાઈન પર આજે બપોરે 2 વાગ્યા સુધી આનંદ વિહારથી વૈશાલી અને ન્યૂ અશોક નગરથી નોઈડા સીટી સેન્ટર સુધી મેટ્રો સેવાઓ બંધ રહેશે. સાથે યલો લાઈન પર સુલ્તાનપુર મેટ્રો સ્ટેશનથી લઈને ગુરુ દ્રોણાચાર્ય મેટ્રો સ્ટેશન સેવાઓ બંધ રહેશે.
ખેડૂતોના માર્ચ વાળા દિવસો 26 અને 27 નવેમ્બરે હરિયાણા અને પંજાબની સાથે પોતાની સીમાઓ સીલ કરશે. હરિયાણા પોલીસે કહ્યું કે કોરોના સંબંધી પાબંધીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રિય રાજધાની અને માર્ચ કરવાની પરમિશન નહીં મળે. હરિયાણા સરકારે પ્રદર્શનકારીઓને જમા થવાથી રોકવા માટે રાજ્યના અલગ અલગ ભાગમાં કલમ 144 લગાવાઈ છે.