ભારતીય વાયુસેના ની ક્ષમતામાં વધારો થવા જઈ રહ્યો છે, કેમ કે એપ્રિલ 2021 સુધીમાં 16 રાફેલ લડાકુ વિમાન IAF સાથે જોડાઈ જશે. વાયુસેના પાસે ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન 17, અંબાલા ખાતે પહેલેથી જ પાંચ રાફેલ લડાકુ વિમાનો છે.
ભારત પાસે હશે 16 રાફેલ વિમાનો
ભારતીય વાયુસેનાની તાકાત વધશે
જાન્યુઆરીમાં વધુ 3 રાફેલ આવશે
ફ્રાન્સની સૌથી મોટી જેટ એન્જિન ઉત્પાદક કંપની Safran Aircraft Engines ભારતમાં ફાઇટર એન્જિન અને અન્ય ભાગો તૈયાર કરવા સંમત થઈ છે.સૂત્રોએ આ પ્રકારની જાણકારી આપી હતી.
16 રાફેલ વિમાનમાંથી ત્રણ 5 નવેમ્બર સુધીમાં આવી જશે
ત્રણેય રાફેલ વિમાન દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં બોર્ડોક્સ-મરીગ્નેક ખાતેની ડેસોલ્ટ એવિએશન એસેમ્બલી પ્લાન્ટથી સીધા ભારત માટે ઉડાન ભરશે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના કહેવા મુજબ, આ વખતે આ વિમાન ક્યાંય ઉતરશે નહીં કારણ કે આ લડાકુ વિમાનોને ફ્લાઇટ દરમિયાન હવામાં રિફ્યુઅલ કરવામાં આવશે.
જુલાઈ 29 ના રોજ અબુ ધાબી થઈને પાંચ રાફેલ જેટ ભારતના અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા, જે હાલમાં ભારતીય વાયુ સેનાના સ્ક્વોડ્રોન 17 નો ભાગ છે. પાંચ રાફેલ UAE માં ઉતર્યા હતા. ફ્રાન્સ માં ભારતીય વાયુ સેનાના ફાઇટર પાઇલટ્સને તાલીમ આપવા માટે સાત રાફેલ લડાકુ વિમાનોનો ઉપયોગ પહેલાથી જ કરવામાં આવી રહ્યો છે.
જાન્યુઆરી 2021 માં ફ્રાન્સ થી ત્રણ વિમાન અને માર્ચમાં ત્રણ વિમાન અને એપ્રિલમાં સાત રાફેલ આવશે
ભારતીય વાયુ સેનામાં સામેલ રાફેલ વિમાન લદાખમાં પહેલેથી જ ઉડાન ભરી રહ્યું છે. ભારતીય વાયુસેના ની 'પ્રેક્ટિસ' ફ્લાઇટ્સના ભાગ રૂપે લશ્કરી વિમાનને આ ક્ષેત્રમાં ઉડતા જોવામાં આવ્યા છે.આ લડવૈયાઓના આગમનથી લદ્દાખમાં LAC પર ચાલી રહેલા તણાવની વચ્ચે સેનાની કાર્યવાહી કરવાની ક્ષમતામાં વધારો થશે.
ફ્રાંસમાં પાઈલટોની તાલીમ ચાલુ છે
એર ચીફ માર્શલ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ 5 ઓક્ટોબરે કહ્યું હતું કે 2023 સુધીમાં તમામ 36 રાફેલ લડાકુ વિમાનો ભારત આવવાના છે. ફ્રાન્સે 10 રાફેલ લડાકુ વિમાનો ભારતને સોંપી દીધા છે, જેમાંથી પાંચ હાલમાં ફ્રાન્સમાં છે. આમાં ભારતીય વાયુસેનાના પાઇલટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતીય પાઇલટ્સની તાલીમ માર્ચ 2021 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
બંગાળમાં છે બીજું એરબેઝ જયા રાફેલ તૈનાત કરાશે
એપ્રિલ 2021 સુધીમાં વધુ 16 ફાઇટર એરક્રાફ્ટની ડિલિવરી સાથે, ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનને તેના તમામ 18 ફાઇટર એરક્રાફ્ટ પ્રાપ્ત થશે. પૂર્વીય મોરચા માટે ઓછામાં ઓછા ત્રણ રાફેલ સ્ક્વોડ્રોન મોકલવામાં આવશે. તેઓ બંગાળના હાશીમારા એરબેઝ પર ચીન સાથેની પૂર્વ સરહદની સુરક્ષા કરશે.ભારત સરકારે એરફોર્સની તાકાત વધારવા માટે ચાર વર્ષ પહેલા 36 રાફેલ વિમાન ખરીદવા માટે ફ્રાન્સ સાથે 59,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.