ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી દીધી છે. પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે. જે બાદ અમીબેન યાજ્ઞિકે VTV સાથે વાતચીત કરી છે.
કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકનું નામ કર્યુ જાહેર
અમીબેન યાજ્ઞિકે કરી VTV સાથે ખાસ વાતચીત
કોંગ્રેસ હાઇકમાન્ડે મારા પર ભરોસો મૂક્યો તે માટે આભારી છુંઃ અમીબેન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે. ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકનું નામ જાહેર કર્યુ છે. આપને જણાવી દઈએ કે, ભાજપમાંથી ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય કોઈએ દાવેદારી નોંધાવી નથી.
પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશઃ અમીબેન યાજ્ઞિક
કોંગ્રેસ દ્વારા ઘાટલોડિયા બેઠક પર અમીબેન યાજ્ઞિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ મામલે અમીબેન યાજ્ઞિકે VTV સાથે ખાસ વાતચીત કરી છે. તેઓએ જણાવ્યું કે, હું હાલ રાજ્યસભામાં સાંસદ છું. કોંગ્રેસ હાઇકમાન્ડે મારા પર ભરોસો મૂક્યો તે માટે આભારી છું. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ. મારા માટે ચેલેન્જ છે કારણ કે સીએમ સામે લડવાનું છે.
આ વખતે જનતા લાવશે બદલાવ: અમીબેન
તેઓએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ તૈયાર ભાણે જ રાજ કર્યું છે. પરંતુ આ વખતે જનતા બદલાવ લાવશે. આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારી સહિતના મુદ્દે જ હું પ્રજા સુધી જઈશ. લોકલ ઈશ્યૂ પર વધુ ફોકસ રહેશે.
કોણ છે અમીબેન યાજ્ઞિક?
- ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા છે.
- અમીબેન યાજ્ઞિક હાઇકોર્ટમાં વકીલાત કરે છે.
- રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.
- સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે.