તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી બાદ મેકર્સ નવા દયાબેનને શોધી રહ્યા છે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શો માં જોવા મળી રહી નથી. હવે આ એક્ટ્રેસને મેકર્સે દયાબેનના રોલ માટે અપ્રોચ કર્યો છે.
જાણીતો કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણી પાછા ના આવ્યા બાદ મેકર્સ નવા દયાબેનની શોધ કરી રહ્યા છે. થોડાક દિવસો અગાઉ મેકર્સે કન્ફર્મ કર્યું હતું કે હવે દિશા વાકાણીની રાહ જોશે નહીં. મળતી માહિતી અનુસાર દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શો માં જોવા મળી નથી. તો દયાબેનના રોલ માટે 'પાપડ પોલ' ફેમ એક્ટ્રેસ અમી ત્રિવેદીને અપ્રોચ કર્યો છે.
જો કે આ માટે જ્યારે અમી ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો એને દયાબેનનો રોલ ઓફર હોવાના સમાચારને ખોટા જણાવ્યા હતા. પરંતુ એક મીડિયા રિપોર્ટમાં નજીકના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે દિશા વાકાણીની જગ્યા અમી ત્રિવેદીને લેવાનું વિચારી રહ્યા છે. અમીએ કહ્યું- 'ના, મને આ રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો નથી. પરંતુ મારા મિત્રો મને કહી રહ્યા છીએ કે આ રોલ મારે કરવો જોઇએ. દયાબેનનું કેરેક્ટર મને સૂટ કરશે. હાલ મને રોલ ઑફર થયો નથી. મને મેકર્સે સંપર્ક કરવાનો ટ્રાય કર્યો નથી.'
જ્યારે અમીને પૂછવામાં આવ્યું કે શું મેકર્સ દ્વારા સંપર્ક કરવા પર એ દયાબેનનો રોલ કરશે? જવાબમાં અમીએ કહ્યું- 'આ એક મોટી જવાબદારી હશે કોઇ પણ કલાકાર માટે દિશા વાકાણીનો રોલ કરવો મુશ્કેલ હશે. મને વિશ્વાસ છે કે જે પણ એક્ટ્રકેસ દિશાને રિપ્લેસ કરશે એને શરૂઆતમાં ઘણી ટીકાઓનો સામનો કરવો પડશે. કારણ કે દિશા 10 વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલી હતી. લોકો એને પ્રેમ કરે છે. જ્યાં સુધી મને શો માટે અપ્રોચ કરવામાં ના આવે ત્યાં સુધી હું કંઇ બોલી શકું નહીં.'
જણાવી દઇએ કે થોડાક દિવસો પહેલા શો ના પ્રોડ્યૂસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું હતું કે એ નવી દયાબેનની શોધ કરી રહ્યા છે. અસિત મોદીએ કહ્યું હતું કે- 'મારે નવા દયાબેન શોધવાનું ચાલું કરવું પડશે. કોઇ પણ શો થી મોટું નથી. '