કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોમવારે મોટી રાહત મળી હતી. ઉત્તરપ્રદેશના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે કરેલ તપાસ બાદ રાહુલ ગાંધીએ ભરેલ નામાંકન ફોર્મને માન્ય રાખ્યું હતું. જેથી હવે રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અમેઠી બેઠક પરથી લડી શકશે.
દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોમવારે મોટી રાહત મળી હતી. ઉત્તરપ્રદેશના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે કરેલ તપાસ બાદ રાહુલ ગાંધીએ ભરેલ નામાંકન ફોર્મને માન્ય રાખ્યું હતું. જેથી હવે રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી અમેઠી બેઠક પરથી લડી શકશે.
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ સિવાય ઉત્તરપ્રદેશના અમેઠી બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અમેઠીમાં જે નામાંકન પત્ર દાખલ કર્યું છે તેના પર સ્થાનિક નેતા ધ્રુવપાલ કૌશલે સવાલ ઉઠાવ્યા હતા.
તેમના કહ્યા મુજબ, રાહુલ ગાંધીએ નામાંકન પત્રમાં ખોટી જાણકારી આપેલ છે. આ મામલે ધ્રુવપાલે રિટર્નિગ ઓફિસર પાસેથી તપાસની માંગ કરી હતી. જો કે, તે સમયે અધિકારીએ તપાસ અંગે 22 એપ્રિલ સુધી તપાસ ટાળી દીધી હતી. અંતે આજરોજ અધિકારીએ તપાસ કરીને રાહુલના નામાંકન પત્રને માન્ય રાખ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામાંકન પત્ર માન્ય રહેવાના સમાચાર પ્રાપ્ત થતાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ જશ્ન મનાવ્યો હતો.