ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શુક્રવારે યૂએનમાં સ્થાયી સીટના ભારતના દાવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનને પણ લાગે છે કે ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યતા મળવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતાના વખાણ થયા
બાયડનની સાથે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પર વિદેશ સચિવ શ્રિંગલાએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપણી અધ્યક્ષતાના વખાણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અફઘાનિસ્તાનના મુદ્દા પર. રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે તેમને લાગે છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક સ્થાયી સીટ મળવી જોઈએ.
UNSCમાં 15 સભ્ય હોય છે
ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992 દરમિયાન 7 વાર પરિષદમાં એક સ્થાયી સભ્ય તરીકે પસંદગી પામી ચૂક્યો છે. હાલમાં જ 2011-2012 માં એવું બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે UNSCમાં 15 સભ્ય હોય છે. જેમાં 10 અસ્થાયી અને 5 સ્થાયી સભ્ય હોય છે. 193 સભ્ય UNSC દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં 2 વર્ષના કાર્યકાળ માટે 5 અસ્થાયી સભ્યોની પસંદગી કરી છે. આ ઉપરાંત પરિષદના 5 સ્થાયી સભ્ય છે- ચીન, ફ્રાન્સ, રશિયા, યૂકે અને યૂએસ.
અફઘાનિસ્તાનના મુદ્દા પર ભારતના વખાણ
શ્રિંગલાએ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતા વિશેષ રુપથી અફાનિસ્તાનના મુદ્દા પર ભારતના પગલાના વખાણ કર્યા. બાયડને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે અનુભવે છે કે સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યતા મળવી જોઈએ. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાયડનને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું છે.