અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના એડમિનિસ્ટ્રેશનના પહેલા દિવસે અપ્રવાસ ખરડો રજુ કરી શકે છે. જેમાં 1.10 કરોડ લોકોને 8 વર્ષમાં અમેરિકન નાગરિકતા મેળવવામાં મદદ મળશે. આ વ્યવસ્થામાં અમેરિકામાં અયોગ્ય રીતે રહી રહેલા લોકોનો સમાવેશ થશે. તેમનો આ નવો કાયદો હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત 4થી લાગૂ કરવામાં આવેલી નીતિયોની ઉલટો છે.
બાયડનનો નવા કાયદાની 6.30 લાખ ભારતીયો પર અસર
વિરોધ થયો તો બાયડન માટે આ સાંસદમાં પાસ કરાવવું મુશ્કેલી ભર્યુ રહેશે.
નવા કાયદા બિનકાયદેસર રીતે અમેરિકામાં રહી રહેલા લોકોને કરશે અસર
વિરોધ થયો તો બાયડન માટે આ સાંસદમાં પાસ કરાવવું મુશ્કેલી ભર્યુ રહેશે
ટ્રમ્પે નાગરિકતા માટે સતત નવા પ્રતિબંધ લગાવ્યા. મોટા સ્તરે અમેરિકા આવેલા લોકોના પાછા પણ મોકલ્યા. ત્યારે બાયડનનો આ નિર્ણય તેમના સમર્થનમાં આવેલા અપ્રવાસીઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમને નાગરિકતા અપાવવાનો તેમણે ચૂંટણી પ્રચાર સમયે વાયદો કર્યો હતો. પૂર્ણ આશંકા છે કે રિપબ્લિકન સાંસદ તેનો વિરોધ કરે કેમ કે તેમાં દેશની સીમાઓની સુરક્ષાને સાઈડ કરવામાં આવી રહી છે. વિરોધ થયો તો બાયડન માટે આ સાંસદમાં પાસ કરાવવું મુશ્કેલી ભર્યુ રહેશે.
આ લોકો માટે તક
સૂત્રોના જણાવ્યાનુંસાર નવા કાયદામાં એક જાન્યુઆરી 2021 સુધી બિનકાયદેસર રીતે રહી રહેલા લોકો જેમને 5 વર્ષના અસ્થાયી કાયદાનો દરજ્જો મળ્યો છે. જેને ગ્રીન કાર્ડ પણ કહેવાય છે. આ વર્ષોમાં તેમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવશે. જેને પાસ કરવામાં આવશે. સાથે જો તે તમામ ટેક્સ ભરે છે તો બાકી ન્યૂનતમ અનિવાર્યતા પૂરી કરે છે તો તેમને 3 વર્ષના ન્યૂટ્રલાઈજેશનના સ્ટેપમાં નાંખવામાં આવશે. આ સ્તરમાં તેમને પાક્કી નાગરિકતા આપવાની પ્રક્રિયા શરુ થશે.
6.30 લાખ ભારતીયો પર અસર
અમેરિકામાં દક્ષિણ એશિયાઈ સંગઠનોના જણાવ્યાનુંસાર 2019 સુધી અમેરિકામાં લગભગ 6.30 લાખ ભારતીય કોઈ કાયદેસરના કાગળ વગર રહેતા હતા. તેમની સંખ્યા 2010ની સરખામણીએ 72 વધી છે. જેમાંથી અનેક ભારતીય કોઈને કોઈ વ્યવસાયમાં લાગેલા છે. તેવામાં બાયડનનો નવો કાયદો તેમને નાગરિકતા મેળવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ડ્રીમર્સને જલ્દી મળશે નાગરિકતા
અમેરિકામાં પોતાનું ભવિષ્ય અને જીવન જોનારા ‘ડ્રીમર્સ’ની કાયદામાં અલગ કેટેગરી હશે. તેમને જલ્દી નાગરિકતા મળશે. જેમાં યુવાનો, બાળકો, ખેડૂતોને અને ખાસ શ્રેણીનું સરંક્ષણ મેળનારા પરંતુ બિનકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ લોકો કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે, સ્કૂલ જાય છે અથવા અન્ય શરતો પૂરી કરે છે તો તેમને તાત્કાલીક ગ્રીન કાર્ડ મળશે.
ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી
કાયદામાં અનેક ખામીઓ ગણાવતા કેટલાક વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે. જેમાં સીમા સુરક્ષાની મજબૂત વ્યવસ્થા નથી. નવા શ્રમિકોને કાર્ય વીઝાની જોગવાઈ નથી. મધ્ય અમેરિકાથી થનારી ઘૂસણખોરી રોકવાની કોઈ રીત નથી. શ્રમિકોના વિકાસ અથવા અંગ્રેજી શીખવાની કોઈ વ્યવસ્થા નથી.