કોરોના વાયરસ આવનારા 18 થી 24 મહિના સુધી વિશ્વભરમાં વિનાશ મચાવશે. કારણે કે કોરોના વાયરસનો અન્ય સિઝનલ ફલૂ કરતા પ્રજનન દર વધુ હોય છે. અમેરિકન ચેપી રોગ વૈજ્ઞાનિકોએ તેમના અહેવાલમાં આ દાવો કર્યો છે કે વિશ્વભરના દેશોની સરકારોએ હવેથી ભવિષ્ય માટે યોજના બનાવવી પડશે કારણ કે વાયરસ ઘણી વખત એક લહેરની જેમ આવી જતો હોય છે. આવી સ્થિતિમાં, ફક્ત બુદ્ધિ અને સમજથી જ તેને ટાળી શકાય છે.
બીજો હુમલો ખતરનાક છે
આ વાયરસ 70 ટકા વસ્તીને ચેપ લગાડશે
તેનો પ્રજનન દર બાકી ફ્લૂ કરતા વધારે છે
70% વસ્તીને ચેપ લાગી શકે છે
યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઈન્ફેક્સિસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલીસી (સીઆઈડીઆરપી) ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વાયરસની બીજી લહેર પાનખર અથવા શિયાળામાં આવી શકે છે. સીઆઈડીઆરપીના ડાયરેક્ટર અને પ્રો. માઈક ઓસ્ટરહોલ્મનું કહેવું છે કે "આ વાયરસ જ્યાં સુધી 60થી70 ટકા લોકોને ચેપ નથી લગાવી દેતો ત્યાં સુધી તે કહેર વર્તાવશે.
...ત્યાં સુધીમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી ગઈ હશે
રિપોર્ટમાં નોંધ્યું છે કે અન્ય સિઝનલ ફ્લૂની જેમ ઉનાળામાં વાયરસ મૃત્યુ પામશે નહીં. કોરોના એ લાંબા સમય સુધી જીવતો કહેનારો વાયરસ છે. જે લક્ષણો વિના પણ જોવા મળે છે, અને તેનો પ્રજનન દર જેને આરઓ (પ્રજનન દર) તરીકે ઓળખાય છે. આ કારણે વાયરસ અન્ય ફ્લૂ કરતા વધારે ઝડપથી ફેલાશે અને લાંબા સમય સુધી રહેશે. પ્રજનન દરને કારણે વાયરસ વધુને વધુ લોકોમાં ફેલાશે. પરિણામ એ આવશે કે રોગચાળો સમાપ્ત થાય તે ત્યાં સુધીમાં દરેકની રોગપ્રતિકારક શક્તિ વિકસી ગઈ હશે.
વાયરસ ત્રણ રીતે હુમલો કરી શકે છે
પ્રથમ ફટકો વસંત ઋતુમાં પણ આવી શકે છે અને ઉનાળા સુધી ઘણી વખત નાના હુમલાઓ કરશે. તે એકથી બે વર્ષ સુધી આવી જ રીતે રહેશે અને 2021 સુધીમાં તે ધીરે ધીરે સમાપ્ત થઈ જશે.
પાનખરની ઋતુમાં અથવા શિયાળા દરમિયાન વાયરસ સક્રિય થઈ શકે છે અને તે મોટા પાયે જોવા મળશે. તે 2021માં સમાપ્ત થાય તે પહેલાં તેનો કહેર વર્તાઈ શકે છે. વાયરસનો વર્તમાન પ્રકોપ ધીમે ધીમે ઓછો થશે. પરિસ્થિત હાલની જેમ જ રહી શકે છે. સરકારોએ એક વ્યૂહરચના ઘડવાની રહેશે કે જેથી તેઓ કટોકટીમાં લાંબા સમય સુધી તેની સાથે લડી શકે.
બીજો હુમલો ખતરનાક
વૈજ્ઞાનિકોના આ અહેવાલ મુજબ જો વાયરસ ત્રીજી રીતે ત્રાટકશે તો સરકારે સાવધાન રહેવું પડશે કેમ કે તે અત્યંત ભયાનક અને ખતરનાક હશે. અત્યારથી લોકડાઉનમાં રાહત આઘાતજનક છે . હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મહામારીના નિષ્ણાંત ડૉ. માર્ક લિપસિટનું કહે છે કે અત્યારથી લોકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવી રહી છે તે આઘાતજનક છે.
રસી મદદ કરી શકે છે પણ...
જો આ પ્રયોગ છે, તો તે લોકોના જીવન પર ભારે પડી શકે છે. રસીથી મદદ મળી શકે છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ આપણી સામે આવ્યું નથી અને ઝડપી રાહતની અપેક્ષા કરી શકાતી નથી. હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે કે રસી ફક્ત 2021 સુધીમાં મળી રહેશે. સૌથી મોટો પડકાર એ છે કે જ્યારે રસી બનાવવામાં આવે છે. ત્યારે પરિસ્થિતિ શું તે તેના પર પણ નિર્ભર રહેશે.