કોરોના વાયરસને લઈને સતત વિશ્વમાં રિસર્ચ થઈ રહ્યા છે. જેને પહલે ફરી એક વાર એક ચોંકાવનારો અને ડરાવનો રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે અમેરિકન સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ(સીડીસી)એ પોતાના નાગરિકો માટે કોરોનાને લઈને નવી એડવાઈઝરી તૈયાર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોરોનામાંથી સાજા થઈને બહાર આવે છે તેમની ઈમ્યુનિટી 3 મહિના સુધી રહે છે એટલે કે તેઓ કોરોનાની સામે લડી શકે છે. એ બાદ તેમને કોરોનાનો ફરીથી ખતરો છે.
ટી સેલ કોરોનાના સંક્રમણ સામે લડે છે
તેમની ઈમ્યુનિટી 3 મહિના સુધી રહે છે
લક્ષણો દેખાય તો તેમને ફરી ટેસ્ટ કરાવવો જોઈએ
અમેરિકાના અખબારમાં લખ્યું કે કે આ એડવાઈઝરીનો મતલબ છે કે કોરોનાને હરાવનારા લોકો 3 મહિના માટે અન્ય લોકો સાથે હરી ફરી શકે ચે. સીડીસીની વેબસાઈટ પર રહેલી એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાગ્રસ્ત હતા અને સાજા થઈ ગયા છે તેમને 3 મહિના સુધી ક્વોરેન્ટાઈન રહેવાની જરુર નથી. જ્યાં સુધી તેમનામાં કોઈ કોરોનાના લક્ષણો ન દેખાય. જો કોઈને શરદી, ખાંસી, તાવ કે પછી શ્વાસ લેવામાં તકલીફ હોવાના લક્ષણો દેખાય તો તેમને ફરી ટેસ્ટ કરાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ બહુ જ ખતરનાક છે. અનેકવાર જોવા મળ્યો છે. દર્દીને ફરીથી ચેપ લાગ્યો હોય તેવી ફરિયાદો મળી છે. સામાન્ય રીતે કોઈ વાયરસનો ચેપ લાગી સાજા થયા બાદ તેની ઈમ્યુનિટી લાંબાં સમય સુધી બની રહે છે. જોકે અહીં ફરી કોરોનાનો ખતરો છે.
ચીનના વુહાનના રિસર્ચમાં ડૉક્ટરોમાં જોવા મળ્યું કે લોકોમાં એન્ટિબોડી બની છે અને જે 6 મહિના સુધી રહી છે. એટલે કે 6 મહિનામાં ફરી સંક્રમણનો ખતરો નથી. તેમનામાં બનેલા ટી સેલ કોરોનાના સંક્રમણ સામે લડે છે.