કોવિડ- 19 વેક્સિનના ત્રણેય ડોઝ લેનારા વ્યક્તિ, બે ડોઝ લેનારા વ્યક્તિની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટથી વધારે સુરક્ષિત છે.
નવા સંશોધનમાં થયો ખુલાસો
વેક્સિનના ત્રણ ડોઝ લેનારા વ્યક્તિ વધારે સુરક્ષિત
ઓમિક્રોનના વેરિએન્ટથી મળશે સુરક્ષા
કોવિડ- 19 વેક્સિનના ત્રણેય ડોઝ લેનારા વ્યક્તિ, બે ડોઝ લેનારા વ્યક્તિની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટથી વધારે સુરક્ષિત છે. તેમણે સંક્રમિત થવાનું જોખમ ઓછુ છે. હાલમાં જ એક સંશોધનમાં થયેલા ખુલાસામાં આ વાત સામે આવી છે. જેમાં વેક્સિનના ત્રણ ડોઝ લીધેલા લોકો પર ઓમિક્રોન વેરિએન્ટ થવા પર હોસ્પિટલમાં ભરતી થવાનો ખતરો ઓછો છે.
ત્રણ ડોઝ આપે છે વધારે સુરક્ષા
PLOS Medicine જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં ખબર પડી છે કે, બે વેક્સિનના ડોઝ SARS-CoV-2 સંક્રમણની વિરુદ્ધ ફક્ત સીમિત અને અમુક સમય માટે સુરક્ષા આપે છે. Statens Serum Institute કોપેનહેગનમાં શોધકર્તામાં મળેલા એગ્રમોસ ગ્રામે કહ્યું કે, અમારા નિષ્કર્ષ બતાવે છે કે સંક્રમણથી લાંબા સમય સુધી સુરક્ષા બનાવી રાખવા અને ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવા પર ઉચ્ચ સ્તરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ત્રીજો ડોઝ જરૂરી છે.
પ્રભાવશીલતાની ઓળખાણ કરવી જરુરી
ગ્રામે કહ્યું કે, હોસ્પિટલમાં ભરતી થવા વિરુદ્ધ રસીની પ્રભાવશીલતાને સતત મૂલ્યાંકનની જરૂરિયાત છે. નવા SARS-CoV-2 વેરિએન્ટ આવવાથી વેક્સિનની પ્રભાવશીલતા લાંબા સમય સુધી રસી રહેવાની સમય ઓછો હોઈ શકે છે. જેનાથી સંક્રમણ અને હોસ્પિટલમાં ભરતી થવા પર ખતરો વધી શકે છે. જો કે, સમયની સાથે ત્રણ રસીની પ્રભાવશીલતા વિશે પુરાવા ઓછા છે. આ શોધ માટે ટીમે રાષ્ટ્રીય સ્તર પર 12 વર્ષથી વધારે ઉંમરના લોકોની પસંદગી કરી હતી.