કોરોના વાયરસની સામે લડવાને માટે અમેરિકાએ ચીન અને અન્ય દેશોને 715 કરોડની મદદ કરવાની તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી ચીનમાં હાલ સુધી 719 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસનો કહેર
અમેરિકાએ 715 કરોડની મદદની તૈયારી બતાવી
ચીનમાં કોરોના વાયરસથી 719 લોકોના થયા મોત
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ આ વખતે નિવેદન આપતાં કહ્યું છે કે આ પ્રતિબદ્ધતા અમેરિકી પર્સનલ ક્ષેત્રમાં કામ કરનારા કરોડો લોકોની સાથે અમેરિકાના મજબૂત નેતૃત્વને પ્રદર્શિત કરે છે. તેઓએ આગળ કહ્યું છે કે અમે બાકીની દુનિયાને અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે કદમથી કદમ મિલાવીને કામ કરીએ. જેથી આપણે આ ખતરાથી જલદી રાહત મેળવી શકીએ.
કોરોના વાયરસ આખા વિશ્વને માટે ખતરો બનતો જઈ રહ્યો છે. ભારતમાં તેના ચેપનો ફેલાવો વધી રહ્યો છે. કેરળમાં હાલ સુધી કોરોના વાયરસના 153 ચેપી કેસ જોવા મળ્યા છે. તેમાં 16 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આપી હતી માહિતી. ચીન સિવાય હોંગકોંગ અને ફિલિપિન્સમાં પણ કોરોના વાયરસે એક એક વ્યક્તિનો જીવ લીધો છે. થાઈલેન્ડમાં પણ કોરોના વાયરસે એક ચેપી અને પોઝિટિવ કેસ જોવા મળ્યો છે.
મુંબઈ બંદરગાહથી કોઈ ચીની ક્રૂને ભારતમાં પ્રવેશવાની પરમિશન નહીં
મુંબઈ બંદરગાહ પર આવનારા જહાજ પર ચાલક દળે સદસ્યો (ક્રૂ)માં કોઈ ચીની નાગરિક છો તો તેને ભારતમાં આવવાની પરમિશન નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાનો કચરો ફેકવાની પરમિશન પણ નથી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટિયાએ આ પ્રતિબંધની જાણકારી આપતાં કહ્યું છે કે કોઈ જહાજમાં ચીનના ક્રૂ સભ્યોનું પહેલાં મેડિકલ ચેકઅપ થશે અને સાથે સ્વાસ્થ્ય અધિકારીની પાસે મોકલવામાં આવશે.
દરેક ક્રૂના સભ્યોની કરવામાં આવશે તપાસ
કોઈ પણ ક્રૂ સભ્યોએ છેલ્લા 15 દિવસમાં ચીનની યાત્રા કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. મુંબઈ પોર્ટ પર આવનારા જહાજ પર જો કોઈ ચાલક દળના સભ્યો ક્રૂમાં કોઈ ચીની નાગરિક છે તો તેને ભારતમાં ઉતરવાની અનુમતિ નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જહાજને અહીં કચરો ફેંકવાની પણ પરમિશન નથી.