અમેરિકામાં હાલમાં એવા બિન અમેરિકી નાગરિકોને એન્ટ્રી નથી જે 14 દિવસ પહેલા યૂરોપ, બ્રિટનમાં સીમા નિયંત્રણ વાળા દેશો, આર્યલેન્ડ, ચીન, ભારત, દ. આફ્રિકા, ઈરાન કે બ્રાઝિલથી આવ્યા હોય.
અમેરિકાએ ટ્રાવેલ બેનને લઈને લીધો મોટો નિર્ણય
અમેરિકાએ કોરોના વાયરસના કારણે લગાવેલા ઈન્ટરનેશનલ બેનને નવેમ્બરની શરૂઆતથી હટાવવાની જાહેરાત કરી છે. નવા ટ્રાવેલ સિસ્ટમના આધારે બ્રિટન, યૂરોપીય યૂનિયન અને અન્ય દેશોના કોરોના વેક્સીન લગાવી ચૂકેલા લોકોને મુસાફરીની મંજૂરી મળશે. આ નિર્ણયનો ફાયદો ભારતથી અમેરિકા જવાની રાહ જોઈ રહેલા લોકોને થશે. વર્ષ 2020ની શરૂઆતમાં ચીનમાં વાયરસ ફેલાવવાની સાથે અમેરિકાએ ટ્રાવેલ બેન લગાવી દીધો હતો.
વ્હાઈટ હાઉસે સોમવારે આપી આ જાણકારી
વ્હાઈટ હાઉસે સોમવારે જાણકારી આપી કે કોરોના રેસ્પોન્સને કોઓર્ડિનેટરનું કહેવું છે કે લોકોને સુરક્ષિત રાખવા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે હાલમાં વેક્સીન મોટું હથિયાર છે. બાળકોની વેક્સીન ન આવે ત્યાં સુધી આ નિયમોમાં છૂટ છે. નવા નિયમ મેક્સિકો અને કનાડાથી સડક માર્ગ પર લાગૂ નથી.
હાલમાં શું છે નિયમ
અમેરિકામાં બિન અમેરિકી નાગરિકોને અત્યારે પ્રવેશ અપાતો નથી. જે 14 દિવસ પહેલા બ્રિટન, યૂરોપમાં કે પછી અન્ય દેશો, આર્યલેન્ડ, ચીન, ભારત, દ. આફ્રિકા, ઈરાન કે બ્રાઝિલથી આવ્યા હોય, ફક્ત અમેરિકી નાગરિકો જેમના પરિવાર, ગ્રીન કાર્ડ ધારકો અને નેશનલ ઈન્ટરેસ્ટ એક્સીમ્પશનના આધારે આવનારા લોકોને આ નિયમમાં છૂટ મળે છે. મળતી માહિતી અનુસાર એરલાઈન કંપનીઓ અમેરિકી સરકાર પર દબાણ કરી રહી હતી પણ ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિઅન્ટના ખતરાને જોતાં તેમાં ઉતાવળ કરાઈ નથી. નવા નિયમોના આધારે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગને સરળ કરવા માટે એરલાઈન્સને પણ યાત્રીઓની જાણકારી રાખવાનું કહેવાયું છે.
અમેરિકામાં મોતનો આંક 30 ટકા વધ્યો
અમેરિકામાં કોરોનાના કેસમાં ભલે ઘટાડો થયો હોય પણ મોતના કેસમાં 2 અઠવાડિયામાં 30 ટકાનો વધારો નોંઘાયો છે. ડેલ્ટા વેરિઅન્ટની અસર વિના વેક્સીન લગાવેલા લોકો પર વધારે અસર જોવા મળી રહી છે. દરેક 500 સંક્રમિત દર્દીમાંથી એકનું મોત થઈ રહ્યું છે.