કોરોનાની વેક્સિનને લઈને કેન્સર પીડિતો પર એક શોધ કરાઈ હતી અને તેમાં દાવો કરાયો છે કે હવે કે કેન્સર પીડિતો પર પણ અસરકારક રહેશે.
કેન્સર પીડિત દર્દીઓ માટે રાહતના સમાચાર
કોરોનાની વેક્સિન કેન્સર પીડિતો માટે પણ અકસીર સાબિત થઇ
કેન્સર પીડિતો પર કરાયેલા પરિક્ષણ બાદ કરાયો દાવો
કોરોનાની વેક્સિનને લઈને કેન્સર પીડિતો પર એક શોધ કરાઈ હતી અને તેમાં દાવો કરાયો છે કે હવે કે કેન્સર પીડિતો પર પણ અસરકારક રહેશે. આ સાથે એ પણ સાબિત થયું છે કે ડેલ્ટા વેરિયેન્ટ સામે પણ રસીના બે ડોઝ અસરકારક સાબિત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્સરના ટી અને બી સેલ્સના દર્દીઓને પણ વેક્સિનના કારણે રાહત મળી છે. આ જર્નલ કેન્સર સેલનો દાવો છે.
Online Now: Highly variable SARS-CoV-2 spike antibody responses to two doses of COVID-19 RNA vaccination in patients with multiple myeloma https://t.co/BhWwuRAEB7
કેવી રીતે કરાયું છે પરીક્ષણ
કોરોના વેક્સિનનું 131 કેન્સરના દર્દી પર પરીક્ષણ કરાયું છે. જેમાં કેન્સરના દર્દીમાં કોરોના વાયરસ સામે એન્ટીબોડી ડેવલપ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે વેક્સિનના બીજા ડોઝ બાદ દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. બંને ડોઝના ત્રણથી ચાર સપ્તાહ બાદ અભ્યાસ કરાયો હોવાનો સ્ટડીમાં દાવો કરાયો છે. આ સમયે કેન્સર પીડિત દર્દીમાં 95 ટકા એન્ટીબોડી ડેવલપ થયું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષણમાં સામેલ થયેલા લોકોની સરેરાશ ઉંમર 63 વર્ષ હતી.
કેન્સરથી ગંભીર રીતે પીડિત દર્દીમાં કોરોના વાયરસના વિરોધમાં કોઈ એન્ટીબોડી જોવા મળી નથી
અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરની શોધકર્તા ડિમ્પી શાહે કહ્યું કે કેન્સરથી ગંભીર રીતે પીડિત દર્દીમાં કોરોના વાયરસના વિરોધમાં કોઈ એન્ટીબોડી જોવા મળી નથી. શઓધકર્તાના આધારે અધ્યયનમાં કોરોનાના ડેલ્ટા સહિત અન્ય વેરિઅન્ટને લઈને પરીક્ષણ કરાયું નથી. તેઓએ કેન્સર પીડિતોમાં સંક્રમણની સરખામણીએ લડનારા ટી સેલ્સ અને બી સેલ્સની પ્રતિક્રિયાનું વિશ્લેષણ કર્યું નથી.