કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે, તેને લઇને હજી પણ નિષ્ણાંતોના મત અલગ-અલગ દેખાઇ રહ્યાં છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિજીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન પોતાના નવા અપડેટમાં એવા દાવો કર્યો છે કે કોરોના મનુષ્યોમાંથી મનુષ્યોમાં ફેલાય છે અને વગર લક્ષણે તે સરળતાથી ફેલાઇ શકે છે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યાં અનુસાર વગર લક્ષણના કોરોના વાયરસનું ટ્રાંસમિશન ઓછા કેસમાં જોવા મળે છે અને તેને મોટું કારણ ન માની શકાય.
અમેરિકાના CDC એ કોરોનાને લઇને ગાઇડલાઇન્સ બદલી
તાજા અપડેટ મુજબ મનુષ્યોમાં સરળતાથી ફેલાય છે વાયરસ
ટ્રાંસમિશન માટે લક્ષણોનું હોવું પણ જરૂરી નથી
આવી રીતે ફેલાય છે કોરોના વાયરસ
CDC ના સુધારા કરવામાં આવેલા નિર્દેશોમાં જણાવામાં આવ્યું છે કે વાયરસ લોકોની વચ્ચે આસાનાથી ફેલાય છે. તેમાં આસાનાથી કોઇ સામાન કે સપાટી દ્વારા ફેલાવાની શક્યતા ઓછી હોય છે. CDC એમ પણ દાવો કર્યો છે કે બીજી રીતના વાયરસ આસાનાથી ફેલાતા નથી. તેમના જણાવ્યાં મુજબ વાયરસથી દૂષિત થઇ ગયેલ સામાન કે સપાટીને ટ્રાંસમિશનનો મુખ્ય સ્ત્રોત ન માની શકાય. પશુઓમાં પણ ટ્રાંસમિશન માટે કોઇ ખતરો બતાવામાં આવ્યો નથી.
ટ્રાંસમિશન માટે લક્ષણ જરૂરી નહીં
CDC ના પ્રવક્તા ક્રિસ્ટેનને જણાવ્યું કે અપડેટ રિવ્યુ બાદ કરવામાં આવ્યાં. CDC ની વેબસાઇટ મુજબ કોઇ સંક્રમિત વ્યક્તિના બોલવા પર કે ઉધરસ ખાવાના કારણે વાયરસ ફેલાય છે. જેના માટે બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર હોવા મહત્વનું છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઇપણ વ્યક્તિમાં લક્ષણ જોવા મળતા નથી અથવા તેને બિમારીનો અનુભવ ન થતો હોય, તો પણ નાના વાયરસને ફેલાવમાં કોઇ મુશ્કેલી થતી નથી. જો કે CDC ના આ દાવાની વિપરીત વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવુ છે કે લક્ષણ નહી દેખાવા પર વાયરસ ફેલાવાની ક્ષમતા ઓછી હોય છે.
CDC ના પગલાથી નિષ્ણાંતો પરેશાન
લેબ એક્સપેરિમેંટમાં એ જાણવા મળ્યું છે કે વાયરસ કાર્ડબોર્ડ પર 24 કલાક સુધી રહી શકે છે અને પ્લાસ્ટિક અથવા મેટલ પર 3 દિવસ સુધી પરંતુ તેની ઇન્ફેકશનની ક્ષમતા ખત્મ થઇ જાય છે. ઘણા નિષ્ણાંતોના મત મુજબ CDC ના આવા નિર્દેશોમાં બદલાવ કરવો ઠીક નથી.