અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસનના કેટલાક પ્રોડક્ટથી કેન્સર થાય છે. કંપનીએ આ પ્રોડ્ક્ટ માર્કેટમાંથી પાછી ખેંચી લીધી.
જોનસન એન્ડ જોનસનના કેટલાક પ્રોડક્ટમાં બેન્ઝિન જોવા મળ્યું
બેન્ઝિનથી કેન્સરનું સંક્ટ રહે છે
ગ્રાહકોને તાત્ત્કાલીક સનસ્ક્રિનનો ઉપયોગ ટાળવા કહેવામાં આવ્યું
જોનસન એન્ડ જોનસનના કેટલાક પ્રોડક્ટમાં બેન્ઝિન જોવા મળ્યું
અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસનના કેટલાક પ્રોડક્ટમાં બેન્ઝિન જોવા મળ્યું છે. જેનાથી કેન્સરનું સંક્ટ રહે છે. જો કે કંપનીએ બુધવારે પોતાના સનસ્ક્રિન ઉત્પાદોને બજારમાંથી પાછા લેવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી એપી અનુસાર જ્યારે સનસ્ક્રિન ઉત્પાદોનું આંતરિક પરિક્ષણ કરવામાં આવ્યું તો તેમાં ઓછા માત્રામાં બેન્જીન હોવાનું જાણવા મળ્યું છે.
સનસ્ક્રીન બનાવતા સમયે બેન્જીનો ઉપયોગ કરવામાં નથી આવતો- કંપની
પાછી મંગાવવામાં આવેલી પ્રોડક્ટમાં તમામ કેન સાઈઝ, સન પ્રોટેક્શન ફૈક્ટરના તમામ લેવલ અથવા એસપીએફ સામેલ છે. હેરાન કરનારી વાત એ છે કે કંપનીએ કહ્યું કે કોઈ પણ સનસ્ક્રીન બનાવતા સમયે બેન્જીનો ઉપયોગ કરવામાં નથી આવતો.
આ પ્રોડક્ટ થશે પાછા
આ સનસ્ક્રિન પ્રોડક્ટમાં veeno Protect + Refresh Aerosol Sunscreen અને ચાર ન્યૂટ્રોજેના સનસ્ક્રીન વર્જન-Beach Defense Aerosol Sunscreen, કુલડ્રાય સપોર્ટ એરોસોલ સનસ્ક્રીન, ઈનવિજિબલ ડેલી ડિફેન્સ એરોસોલ સનસ્ક્રીન અને અલ્ટ્રાશીર એરોસોલ સનસ્ક્રીન સામેલ છે.
ગ્રાહકોને તાત્ત્કાલીક સનસ્ક્રિનનો ઉપયોગ ટાળવા કહેવામાં આવ્યું
એજન્સીની રિપોર્ટ અનુસાર આ પ્રોડક્ટ દેશભરમાં રિટેલર્સને આપવામાં આવ્યા હતા. કંપનીએ કહ્યું કે બેન્જીનની જાણ કંપની અને સ્વતંત્ર લેબની તપાસમાં આવી છે. આ સાથે જ ગ્રાહકોને તાત્ત્કાલીક સનસ્ક્રિનનો ઉપયોગ ટાળવા કહેવામાં આવ્યું છે. પરંતુ જે લોકોએ પ્રોડક્ટ ખરીદી છે તેમને પૈસા પાછા આપી દેવામાં આવશે. તેના માટે ગ્રાહકે કન્ઝૂમર કેરમાં ફોન કરવો પડશે.
જોનસન એન્ડ જોનસનના પ્રવક્તાએ કહ્યું કે જેવા અમને સતર્ક કરવામાં આવ્યા અમે તાત્કાલીક કાચા માલ અને નિર્માણની પ્રક્રિયાની તપાસ શરુ કરી છે. જેમાં આંતરીક પરિક્ષણ કરવામાં આવ્યા છે.
બેબી પાવડરને લઈને સવાલ ઉઠી ચૂક્યા છે
આ પહેલા જોનસન એન્ડ જોનસન બેબી પાવડરના ઉપયોગથી કેન્સર થવાનો આરોપ બ્રુકલીનની એક મહિલા અને તેમના પતિએ કંપની પર લગાવ્યો હતો. આ કેસમાં ન્યૂયોર્ક સ્ટેટ જજે કંપની પર 120 મિલિયન ડોલર્સ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.