અમેરિકામાં રોગ નિયંત્રણ અને સુરક્ષા કેન્દ્રે જણાવ્યું છે કે, કોલોરાડોમાં એક વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત હતો. તેમણે તેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અમેરિકાનો આ પ્રથમ કેસ છે, જ્યારે દુનિયામાં આ બીજો કેસ છે.
ચીન બાદ અમેરિકામાં જોવા મળ્યો બર્ડ ફ્લૂનો કેસ
દુનિયાનો બીજો કેસ મળી આવ્યો
માણસમાં ફેલાયો હોવાનો અમેરિકામાં પ્રથમ કેસ
અમેરિકામાં રોગ નિયંત્રણ અને સુરક્ષા કેન્દ્રે જણાવ્યું છે કે, કોલોરાડોમાં એક વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત હતો. તેમણે તેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, અમેરિકાનો આ પ્રથમ કેસ છે, જ્યારે દુનિયામાં આ બીજો કેસ છે. જ્યારે કોઈ માણસને બર્ડ ફ્લૂ ( Bird flu H5)થી ગ્રસિત જોવા મળ્યો હોય. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ સંક્રમિત મરઘા અને મરઘીઓના સંપર્કમાં આવ્યો હતો. અમેરિકાના મીડિયાના હવાલેથી જણાવવા માગીએ છીએ કે, દુનિયાનો પ્રથમ કેસ ચીનમાં મળ્યો હતો. જ્યાં એક 4 વર્ષના બાળકમાં બર્ડ ફ્લૂના એચ3એન8 સ્ટ્રેનની ઓળખાણ થઈ હતી અને આ પ્રથમ માનવ સંક્રમણ હતું. આ બાળક પોલ્ટ્રી પક્ષી ફાર્મના કારણે સંક્રમિત થયો હતો. જો કે, એચ5 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ બ્રિટેનમાં મળ્યો હતો, જ્યાં એક વ્યક્તિ પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતો હતો.
અમેરિકામાં એક શખ્સ પોઝિટિવ આવ્યો
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, કોલોરાડોમાં સંક્રમિત વ્યક્તિ વિશે સમગ્ર જાણકારી લેવામાં આવી હતી. આ વ્યક્તિ સંક્રમિત મરઘા અને મરઘીઓના સંપર્કમાં આવ્યો હતો, કેમ કે તે ફાર્મમાં કામ કરતો હતો. આ વ્યક્તિના નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 27 એપ્રિલે આવેલા રિપોર્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિનો પહેલા પણ ટેસ્ટ થયો હતો, જો કે તે નેગેટિવ આવ્યો હતો. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર સતર્કતા માટે તમામ ઉપાયો કરવામાં આવ્યા છે. આ સંક્રમિત વ્યક્તિને જરૂરી દવાઓ પણ આપવામાં આવી ચુકી છે. હાલ તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિને પહેલા થાકનો અનુભવ થતો હતો, જેના કારણે તે ડોક્ટર પાસે ગયો હતો. તેના ટેસ્ટ રિપોર્ટ બાદ તેને એન્ટી વાયરલ દવા આપવામાં આવી છે અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
આટલી સાવધાની રાખજો
અધિકારીઓએ કહ્યું કે, આ ઉપરાંત કારણ કે, સામાન્ય જનતાને તેનાથી સંક્રમણનો ખતરો ઓછો છે, કારણ કે, એવિયન ફ્લૂનું વ્યક્તિથી વ્યક્તિનું સંક્રમણ ભાગ્યેજ થાય છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, અમેરિકામાં વાયરસથી સંબંઘિત અન્ય કોઈ વેરિએન્ટ નથી મળ્યો. તેમણે કહ્યું કે, પોલ્ટ્રીની સાથે કામ કરનારા લોકો પર ખતરો વધારે છે. ત્યારે આવા સમયે પક્ષી પાલન કરતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. જે પક્ષીઓ મરી ગયા છે અથવા તો બિમાર છે, તેમને દૂર કરી દેવા જોઈએ. તથા એવી જગ્યા પર પણ ન જાવ જ્યાં પક્ષીઓના ચરક હોય છે.