સંયુક્ત રાષ્ટ્ર / નાગરિકતા કાયદા પર UNનું નિવેદન, કહ્યું 'તેની પ્રકૃતિ મૂળ સ્વરૂપથી ભેદભાવપૂર્ણ'

amendment law discriminatory against muslims says UNITED NATIONS

ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદથી જ દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. આસામ અને તેના આસપાસનાં રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. વિવિધ સ્થળો પર હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે સંક્યુત રાષ્ટ્ર દ્વારા પણ નવા કાયદા પ્રતિક્રિયા સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્રનાં માનવાધિકાર સંસ્થાએ ભારતનાં નવા નાગરિકતા સંસોધન કાયદા પર શુક્રવારે ચિંતા વ્યક્ત કરી હતી. માનવાધિકાર સંસ્થાનાં પ્રવક્તાએ સરકારને ભારત દ્વારા કરવામાં આવેલી સંધિઓ યાદ અપાવી હતી. તથા નવા કાયદાની પ્રકૃતિ જ ભેદભાવપૂર્ણ ગણાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ