બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાંગ્લાદેશીઓને બેઘર કરવાનું AMC નું જડબેસલાક આયોજન, સરકારી આવાસ ફાળવવાની તૈયારી
Last Updated: 07:10 PM, 8 May 2025
Ahmedabad News : અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન મામલે AMCનો મોટો નિર્ણય લીધો છે. AMC તળાવ પાસેના ભારતીય નાગરિકોને આપશે EWSનાં મકાન ફાળવવામાં આવશે. AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો મહત્વપુર્ણ નિર્ણય. 1/12/2010 પહેલા જે તળાવ પર રહેતા હશે તેવા લોકોને વૈકલ્પિક મકાનો આપવામાં આવલશે. દાણીલીમડા વોર્ડ ઓફિસમાં મકાનના ફોર્મ મળશે. 3 લાખ કરતા ઓછી આવક હશે તો મળશે મકાન આપવામાં આવશે.
ADVERTISEMENT
ભારતીયોને મકાન ફાળવવામાં આવશે
AMC દ્વારા ચંડોળામાં 1લાખ ચો.મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મકાનો માટે AMC સર્વે કરશે , 2010 પહેલા વસેલા લોકોને મકાન મળશે. AMC દ્વારા ચંડોળા તળવાના ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે. 2.50 ચો.મીટરમાં દબાણ દૂર કરવાનું બાકી છે. AMC દ્વારા ચંડોળામાં 1 લાખ ચો.મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો આપવામાં આવશે. AMC રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે.
ADVERTISEMENT
મકાનની કિંમત ચુકવવી પડશે
રૂ 3 લાખના મર્યાદાનું ઘર મળશે જેનો ખર્ચ લાભાર્થીએ ચુકવાનો રહશે. બાંગ્લાદેશીઓને ઘર નહીં મળે , ભારતીયોને જ ઘર આપવામાં આવશે. ભારતીય નાગરિકની ખરાઇ માટે પોલીસ વેરીફીકેશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન સહિતનાં સરકારી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે. જેથી તેઓ ભારતીય જ છે તે પ્રસ્થાપિત થાય ત્યાર બાદ મકાન ફાળવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.