AMCની આરોગ્ય કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ફૂડ સેમ્પલને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ તહેવારોની સિઝનને લઈને આરોગ્ય વિભાગ અલર્ટ હોવાના અને શહેરીજનોને અખાદ્ય ખોરાક ન મળે તે માટે AMC નો સબંધિત વિભાગ સક્રિય મોડમાં કામ કરી રહ્યું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારે હેલ્થ વિભાગ તહેવાર ટાણે જ કુભકર્ણ નિદ્રામાંથી કેમ જાગે છે ? તેવો પણ લોકોમાં સવાલ ઊભો થયો હતો.
AMCનું આરોગ્ય ખાતું હાથ ધરશે ચેકિંગની કાર્યવાહી
દિવાળી અને નવરાત્રીના તહેવારોને લઇને અમદાવાદ મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા 30 ઓક્ટોબરથી સઘન ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેને લઇને ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.. તંત્ર દ્વારા ગરબા સ્થળોએ અને ખાણી-પીણીના ફૂડ સ્ટોલો પર ચેકિંગ કરવામાં આવશે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સ્થળ પર જ ફૂડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં સેમ્પલ ફેલ થતા સ્થળ પર જ દંડ કરવા સહીતની કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું છે.
શહેરીજનોને અખાદ્ય ખોરાક ન મળે તે માટે AMC સક્રિય
ઉલ્લેખનીય છે કે, ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ કરાયેલી કામગીરીની યાદી પણ મંગાવી લેવામાં આવી છે. ફૂડ ઇસ્પેક્ટરની બેઠક વ્યવસ્થા જે તે ઝોન વિભાગમાં કરાશે.તેમજ ફૂડ સેમ્પલની કામગીરી ઝડપી બનાવવા માટે પણ બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયો છે.
સળગતા સવાલ?
હેલ્થ વિભાગ તહેવાર ટાણે જ કુભકર્ણ નિદ્રામાંથી જાગે છે ?
સામાન્ય દિવસોમાં નાગરિકોના આરોગ્યની કોણ ચિંતા કરશે ?
હેલ્થ વિભાગની બેદરકારીનો નાગરિકો કેમ ભોગ બને છે ?
શહેરીજનોના આરોગ્યને લઇને તંત્ર કેમ ગંભીર નથી ?
ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદનો રિપોર્ટ શું કામનો ?
શું ખાદ્ય સામ્રગી તૈયાર થાય તે પહેલા રિપોર્ટ ના થઇ શકે ?
શું નાગરિક ખાદ્ય સામ્રગી આરોગે તે પહેલા સેમ્પલ ટેસ્ટિંગ ના થઇ શકે ?
શું ખાદ્ય સામ્રગી આરોગતા પહેલા તેની સુરક્ષાની ખાતરી જાણવાનો નાગિરકોને હક નથી ?
ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદ સેમ્પલ ફેઇલ આવે તો નાગરિકોના આરોગ્યનું શું ?
વાસી ખાદ્ય સામ્રગી આરોગ્યા બાદ નાગરિક બિમાર પડે તો તેના માટે કોણ જવાબદાર ?