અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનના નિર્ણય કરાયા હતા. જેમાં સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરાયો છે, જેમાં ખાનગી સોસાયટીને વિકાસ માટે ત્રણ ભાગ તરફથી ફંડ અપાશે. સોસાયટીના વિકાસ માટે અમદાવાદ મનપા, કોર્પોરેટર અને સરકાર મળીને ફંડનું વિતરણ કરશે. જે હિસાબથી 70-20-10નો ફોર્મ્યુલા લાગુ કરાશે. જેમાં 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર, 20 ટકા ખર્ચ સ્થાનિક ધારાસભ્ય કે, કોર્પોરેટરની ગ્રાન્ટ અને 10 ટકા સોસાયટીના ફંડ તરફથી રહેશે. તો અન્ય ખર્ચ AMC બજેટમાંથી આપવામાં આવશે. જેની સમગ્ર સત્તા મનપા કમિશનર હસ્તક રહેશે.
કેવા પ્રકારના વિકાસના કાર્યો માટે અપાશે ફંડ
પ્રાઈવેટ સોસાયટીના વિકાસ માટે, રોડ, સીસીટીવી બ્લોક કાર્ય કોર્પોરેશન કરી આપશે. જો કે, સમગ્ર યોજના અંગે દરખાસ્તને સરકાર સમક્ષ રાખવામાં આવી છે. અને સરકારની મંજૂરી બાદ પ્રાઈવેટ સોસાયટીના વિકાસનો ખર્ચ ઉપાડવો પડશે નહીં.