20 સપ્ટેમ્બરથી અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ પણ પરિસરમાં કે જાહેર સ્થળોમાં વૅક્સિનેશન સર્ટિ વીના પ્રવેશ પર પાબંધી લગાવી દેવામાં આવી છે.
AMCનો મહત્વનો નિર્ણય, રસી હવે ફરજિયાત
અમદાવાદ મનપાના તમામ પરિસરોમાં સર્ટી ફરજિયાત
20 સપ્ટેમ્બરથી નહીં અપાય પ્રવેશ
એક તરફ દેશમાં પુરપાટ ઝડપે વૅક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે . રોજ રોજ લાખો વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે. છતાંય હજુ પણ એવા ઘણા લોકોને જે કાંતો વેક્સિનથી ડરી રહ્યા છે, કોઈ શંકા છે અથવા તો એમ જ નથી લઈ રહ્યા, ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના સુપર્ણ રસીકરણ થાય તે માટે સંબધિત અધિકારીઑને આદેશ આપી દીધો છે. AMC પણ યુદ્ધના ધોરણે કેમ્પો ગોઠવી વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તેવા પ્રયાસો કરી રહી છે પણ કેટલાય લોકો કોરોનાને ગંભીરતાથી ન લેતા વેક્સિનના પ્રથમ ડોઝ પણ લીધો નથી. અને આથી હવે AMC આકરી બની છે અને મોટો નિર્ણય લઈ અમદાવાદ મહાનગરપાલિકાના કોઈ પણ પરિસરમાં કે જાહેર સ્થળોમાં વૅક્સિનેશન સર્ટિ વીના પ્રવેશ પર પાબંધી લગાવી દેવામાં આવી છે.
અમદાવાદમાં વૅક્સિનેશન સર્ટિ જરૂરી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક કડક આદેશ પારિત કરવામાં આવ્યો છે. તે છે વેક્સિન વગરના લોકોને મહાનગરપાલિકાના પરિસર એટલે જાહેર સ્થળો પર રોક, 20 સપ્ટેમ્બરથી આ નિર્ણય પર એએમસી અમલવારી કરવા જઈ રહી છે. મનપાના તમામ પરિસરોમાં મુલાકાતિઓનું કોરોના રસીનું સર્ટી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.રસીકરણના સર્ટી તપાસ્યા બાદ જ પ્રવેશ મળશે તેવો ફરમાન જાહેર કરી દેવાયું છે. આખરે કેમ એએમસીએ આકારો નિર્ણય લેવો પડ્યો 70 લાખથી પણ વધુની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં જો રસી લીધેલા લોકોની સંખ્યા પર નજર કરીએ તો શહેરમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે. 16.44 લાખ શહેરના નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો બાકીના ઘણખરા બાકી જ છે.
કયા કયા જાહેર સ્થળો પર વૅક્સિનેશન સર્ટિ વગર પાબંધી
AMCના નિર્ણય મુજબ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત તમામ જગ્યાએ રસીનું સર્ટિ ફરજિયાત કરી દેવાયું છે 20 સપ્ટેમ્બરથી AMTS-BRTS, કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુમાં પ્રવેશ પહેલા વેકસીનેશન સર્ટિ તપાસવામાં આવશે, સાથે જ રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાનામાં જે પણ AMC હસ્તક હશે ત્યાં સર્ટિ ફરજિયાત ચકાસવામાં આવશે. સીટી સિવિલ સેન્ટર સહિતના બિલ્ડીંગમાં સર્ટી તપાસવામાં આવશે. જો તમે હવે વેક્સિન નહીં લીધી હોય તો AMC જાહેર સ્થળો પર કામકાજ માટે કે હરી ફરી નહી શકો
આજે દેશ સહિત ગુજરાતમાં રેકોર્ડબ્રેક વૅક્સિનેશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ કોરોનાનું રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. જેમાં દેશમાં 2 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી વિશ્વમાં ઈતિહાસ સર્જવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ રેકોર્ડબ્રેક વેકસીનેશન થયું છે. વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં સાંજે 7:00 વાગ્યા સુધી 18 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના મોનીટરીંગ હેઠળ ડ્રાઈવ ચાલી રહી છે. વેક્સિનેશનની મેગા ડ્રાઈવ રાતે 10 કલાક સુધી ચાલશે તેથી આ આકડો 20 લાખને પાર જાય તો પણ નવાઈની વાત નથી. ગુજરાતમાં આજે રસીકરણનો વિક્રમ સર્જી પીએમ મોદીને બર્થડે ગિફ્ટ અપાઈ છે.