અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. એસ.વી.પી. હૉસ્પિટલ મામલે મેયર બીજલ પટેલે નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ હંમેશા લોકો માટે કામ કરી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, વી.એસ. હોસ્પિટલ કોઈ દિવસ બંધ નહીં થાય ત્યાં કામ ચાલુ જ છે. વી.એસ. હૉસ્પિટલમાં દર્દીઓને સારી સુવિધાઓ મળે તે માટે 60 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યુ છે.
એસ.વી.પી.માં અત્યાર સુધીમાં 32 હજાર જેટલા દર્દિઓ OPDમાં સારવાર લઈ ચૂક્યા છે. જૂની નવી હૉસ્પિટલનો ભેદ પહેલા પણ ન હતો અને નહીં હોય. એસ.વી.પીમાં તમામ પ્રકારના માં કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, આયુષ્માન કાર્ડ શરૂ જ છે. જે નાણાંભરીને સારવાર આપવામાં આવી રહી છે તે બહારની હૉસ્પિટલ કરતા ઓછો છે.
તો આ તરફ કમિશ્નર વિજય નહેરાએ પણ નિવેદન કર્યુ હતું કે SVP અને VS બંનેની માલિકી AMCની છે. દર્દીઓને કોઈ તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ VSમાં ચાર્જેબલ હતી અને SVPમાં પણ ચાર્જબલ જ છે. ગરીબોને પહેલા પણ ફ્રી સેવા આપતા હતા આજે પણ ફ્રી જ સેવા આપીએ છીએ.