શહેરના તળાવોની જાળવણીના નામે કરોડો રૂપિયા નુ ટેન્ડર તો મંજુર કરવામાં આવ્યું પરંતુ તળાવોની સ્થિતિ હજુ પણ એની એ જ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું, ટૂંક સમયમાં જ શરુ થશે કામ
અમદાવાદમાં 37 તળાવોની હાલત ખરાબ
AMCએ ટેન્ડર પાડ્યા પણ કામના નામે શૂન્ય
વિપક્ષે AMC પર લગાવ્યા ભ્રષ્ટ્રાચારના આરોપ
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સમારકામ ના નામે ખર્ચ તો કરે છે પરંતુ તેનું કામ નથી જોવા મળતું . શહેર ના તળાવોની જાળવણીના નામે કરોડો રૂપિયા નુ ટેન્ડર તો મંજુર કરવામાં આવ્યું પરંતુ તળાવોની સ્થિતિ હજુ પણ એની એજ જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પરેશન ખર્ચ કરી કામ નહીં કરવા માટે જાણીતું બની ગયું છે. શહેર ના તળાવોની સુંદરતા વધારવા માટે સમારકામ કરવું જરૂરી હોવાથી સ્ટેન્ડિંગ કમિટી માં 37 તળાવો આ સમારકામ માટે રૂ 4.5 કરોડ નું કામ મંજુર કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી એકપણ તળાવ નું સમારકામ શરૂ નથી થયું જેના કારણે મનપા ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. કરોડો રૂપિયા નું કામ મંજુર કરાયું તો અમલ શા માટે નથી કરાવી શકતું ..તળાવો ની સ્થિતિ હજુ પણ ગંદકી ભરેલી અને દયનિય જોવા મળી રહી છે. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નું કેહવું છે કે ટૂંક સમય માં જ સમરકામ શરૂ થશે
તો વિપક્ષ પણ આ મુદ્દે સત્તા પક્ષ પર ભ્રષ્ટચાર નો આક્ષેપ કરી રહ્યું છે. તળાવ ખંડેર હાલત માં પડયા છે અનેક સમય થી સમારકામ ની વાતો કરવામાં આવે છે પરંતુ કામ નથી કરતા. કરોડો રૂપિયા ના નામે કોન્ટ્રાકટરો ને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે પરંતુ કામ નથી કરી રહ્યા. ભાજપ એ તળાવ ની જાળવણી માં રસ નથી માત્ર રૂપિયા કમાવવામાં રસ છે તેવો આક્ષેપ દિનેશ શર્માએ કર્યો હતો.
કોર્પોરેશન ની ઢીલી નીતિ ને કારણે અનેકવાર હાઇકોર્ટ એ પણ ટકોર કરી છે તેમ છતાં કોર્પોરેશન ગોકળગતિ એ કામ કરી રહ્યું છે. પ્રજા પાસે ઉઘરાવેલા ટેક્ષ ના રૂપિય થી શહેર ની સુંદરતા વધારવાના નામે કોન્ટ્રાકટરો ને પૈસા અપાય છે પરંતુ હવે તળાવો નું સમારકામ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું.