અમદાવાદ મહાનગરપાલિકાએ રસ્તા, કચરો, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટલાઈટ સંબધિત ફરિયાદ માટે ટ્રોલફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. ત્યારે ટોલફ્રી હેલ્પલાઈન નંબર પર નાગરિકોની ફરિયાદ તો નોંધાય છે. પરંતુ તેનું નિરાકરણ કરવામાં આવતું નથી. AMCની કામગીરીને લઇને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ફરિયાદ તો નોંધાય છે પણ નિવારણ માટે કોઈ આવતું નથી
હેલ્પલાઈન નંબરનો ઉદેશ્ય ભુલાયો
મુદત વીત્યા બાદ પણ સમસ્યા ઠેરની ઠેર
અમદાવાદ મહાનગરપાલિકાએ,રસ્તા, કચરો, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટલાઈટ સંબધિત ફરિયાદ માટે ટ્રોલફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. પરંતુ આ સેવાનો કોઈ લાભ જનતાને થતો નથી આ વાત VTVના રિયાલિટી ચેકમાં સામે આવી છે. બોપલ વિસ્તારમાં આવેલી સન ઓપ્ટિમા રેસિડેન્સી પાસે આવેલા લાઈટના પોલ છેલ્લા ઘણા દિવસથી બંધ હતા. જે મામલે અમારા રિપોર્ટરે હેલ્પલાઈન નંબરમાં ફોન કરીને ફરિયાદ કરી હતી. સામે પક્ષેથી ચોક્ક્સ સમયમાં ફરિયાદનું નિવારણ થવાની આશા બંધાવવામાં આવી હતી. જોકે હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાયાને ચોવીસ કલાક વીતી ગયા હતા. ત્યારે અમારા રિપોર્ટરે ફરિયાદ કરી હતી. તેના 24 કલાક બાદ સમસ્યાનું સમાધાન થયું છે કે, નહીં તે જાણવા બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. પરંતુ ત્યાં જોવા મળ્યું કે મ્યુનિસિપલ તંત્ર તરફથી કોઈ કર્મચારી લાઈટ રિપેર કરવા ફરક્યા પણ ન હતા.
આ તો ડિજિટલ સુવિધાનો ઉપહાસ કહેવાય
VTV ના રિયાલિટી ચેકમાં ફરિયાદનું સમાધાન ન થતાં VTV દ્વારા બોપલના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં સ્થાનિકોમાં પણ AMCની કામગીરીને લઇ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ પણ AMCની હેલ્પલાઈન પર આક્ષેપ કરતા કહ્યું કે, હેલ્પલાઈનમાં ફરિયાદ તો નોંધવામાં આવે છે, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી.
બોપલ અને પાલડી વિસ્તારની આ ફરિયાદો વિશે VTV દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે ચર્ચા કરી હતી. જેમાં હિતેશ બારોટ AMCની આળસનો બચાવ કરતા જોવા મળ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદો કરનારા વધારે છે અને કર્મચારી ઓછા છે, છતાં ક્ષતિ હશે તો કાર્યવાહી કરાશે.