તા. ૬ ઓગસ્ટે નવરંગપુરાની કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડથી આઠ દર્દી જીવતા બેડમાં ભડથું થઈ જતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. શ્રેય હોસ્પિટલના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મૃતકો માટે ઊંડા દુઃખની લાગણી દર્શાવી હતી. ત્યાર બાદ રાજકોટની કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો હતો.
ફાયર એક્ટની જોગવાઈ મુજબ વેન્ટિલેટેડ રાખવાનો રહેશે
આગામી ૧૫ દિવસમાં ફાયર એનઓસી મેળવવાની કડક તાકીદ
કમિશનર મૂકેશકુમારે આપી ચેતવણી
દરમિયાન, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની હોસ્પિટલની ફાયર સેફ્ટીની એનઓસીની ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં કુલ ૨૮૭ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની એનઓસી ન હોઈ તંત્રે આજથી આ તમામ હોસ્પિટલમાં નવા દર્દીને દાખલ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રેય અગ્નિકાંડ બાદના લગભગ પાંચ મહિના બાદ સત્તાવાળાઓ હોસ્પિટલની ફાયર સેફ્ટીના મામલે હરકતમાં આવ્યા છે.
આગામી ૧૫ દિવસમાં ફાયર એનઓસી મેળવવાની કડક તાકીદ
આમ તો અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીને પગલે હાઈકોર્ટ પણ ફાયર એનઓસીના મામલે તંત્ર પર લાલઘુમ થઈ છે, જેના કારણે તંત્ર દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ સહિત શહેરની કુલ ૨૮૭ હોસ્પિટલને આગામી ૧૫ દિવસમાં ફાયર એનઓસી મેળવવાની કડક તાકીદ કરી છે તેમજ આજથી નવા દર્દીને દાખલ કરવા સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
www.ahmedabadcity.gov.inમાં ગઈ કાલે આ તમામ હોસ્પિટલની યાદી પ્રસિદ્ધ કરી
તંત્રની સત્તાવાર વેબસાઇટ www.ahmedabadcity.gov.inમાં ગઈ કાલે આ તમામ હોસ્પિટલની યાદી પ્રસિદ્ધ કરીને ખુદ સત્તાધીશોએ આટલી હોસ્પિટલ ફાયર એનઓસી ધરાવતી નથી તેની કબૂલાત કરી છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલી ફાયર એનઓસી વગરની હોસ્પિટલમાં પશ્ચિમ અમદાવાદ જેવા નદીપારના સમૃદ્ધ ગણાતા વિસ્તારમાં દર્દીઓનાં જાનમાલ માટે જોખમી ૧૭૩ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે, જેમાં બોડકદેવ, જોધપુર, થલતેજ વોર્ડ ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૦૭ હોસ્પિટલ છે, જ્યારે કોટ વિસ્તાર જેવા ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં માત્ર બે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી એનઓસી નથી.
ફાયર એક્ટની જોગવાઈ મુજબ વેન્ટિલેટેડ રાખવાનો રહેશે
મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા આજે પ્રસિદ્ધ કરાયેલી જાહેર નોટિસમાં વધુમાં જણાવાયું છે કે હોસ્પિટલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી નહીં હોય તેમજ હોસ્પિટલની ફાયર સિસ્ટમ કાર્યરત રખાઈ નહીં હોય અને કોઈ આગ, જાનહાનિ કે હોનારત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની રહેશે. આ ઉપરાંત હોસ્પિટલ બિલ્ડિંગ ખાતે સ્ટેરકેસ તેમજ બિલ્ડિંગનો અન્ય ભાગ ફાયર એક્ટની જોગવાઈ મુજબ વેન્ટિલેટેડ રાખવાનો રહેશે.
કમિશનર મૂકેશકુમારે આપી ચેતવણી
જો ૧૫ દિવસમાં આ હોસ્પિટલ સક્ષમ સત્તા પાસેથી ફાયર સેફ્ટીની એનઓસી નહીં મેળવે તો હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ કમિશનર મૂકેશકુમારે આપી છે.