રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે જેને લઇને AMC દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ AMC કેરી ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર કેરીનું વેચાણ થશે. આ કરીના વેચાણ માટે 15 દિવસ માટે મંજૂરી આપવામાં આવશે. 26મેથી કેરીનું વેચાણ શરૂ કરવામાં આવશે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર કેરીનું વેચાણ થશે
26મેથી સવારે 8થી સાંજે 4 કલાક સુધી કરી શકાશે વેચાણ
15 દિવસ માટે કેરીના વેચાણ માટે અપાઇ મંજૂરી
હાલ કોરોના વાયરસના કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લૉકડાઉન 4.0માં પણ અમદાવાદમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હવે અમદાવાદ મ્યુનિ. દ્વારા કેરીના વેચાણને પ્રોત્સાહન આપવા કેરીના વેચાણ કેન્દ્ર શરૂ કરશે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જોમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં કેરી ઉત્પાદન કરતા ખેડૂતો તેમના કેરીના પાકનું વેચાણ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે 26 મેના રોજથી 15 દિવસ માટે સવારે 8થી સાંજે 4 કલાક સુધી કરી વેચાણ કરી શકાશે.
✅માન. મેયર શ્રીમતી બીજલબેન પટેલની ઉપસ્થિતિમાં તા.ર૬/૦પ/ર૦ના રોજ સવારે ૮ કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે ઉભા કરાયેલ કેરીના વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવશે
✅AMC અને સહકાર વિભાગ, ગુજરાત સરકારના સયુક્ત ઉપક્રમે તા.ર૬/૦૫/ર૦ના રોજથી ૧૫ દિવસ માટે સવારે ૮ થી ૪ કેરીઓના વેચાણની વ્યવસ્થા pic.twitter.com/Grs9oJODDj
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 25, 2020
આ વેચાણ કેન્દ્રને અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આશે. મેયરને આ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં 100 જેટલા સ્ટોર ઉભા કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
અહીં વિવિધ પ્રકારની ઓર્ગેનિક કેરીઓ મળશે
તાલાળાની કેસર કેરી, વલસાડની હાફૂસ, લગડો સહિતની વિવિધ પ્રકારની ઓર્ગેનિક કેરીઓ મળશે. આ તમામ કેરીઓ કાર્બાઈડ અને કેમિકલમુક્ત હશે અને વ્યાજબી ભાવે તમામ કેરીઓનું વેચાણ અહીં કરવામાં આવશે. જોકે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અહીં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરાવવામાં આવશે.