AMCની ટેક્સ રિબેટ યોજના ફરી શરુ, એડવાન્સ ટેક્સ ભરનારને 11 ટકા સુધી રિબેટ
યોજનાના પ્રથમ દિવસે 15 કરોડની આવક, 50 ટકા કરદાતાઓએ ભર્યો ઓનલાઇન ટેક્સ
AMCની ટેક્સ રિબેટ યોજના ફરી શરૂ થઇ ચુકી છે.તે અંતર્ગત હવે એડવાન્સ ટેક્સ ભરનારને 11 ટકા સુધી રિબેટ આપવામાં આવશે.જેના કારણે ટેક્સની આવકમાં વધારો જોવા મળશે.રિબેટ યોજનાના પ્રથમ દિવસે એએમસીને 15 કરોડની આવક થઈ છે.જેમાં 50 ટકા કરદાતાઓએ ઓનલાઇન ટેક્સ ભર્યો છે. તો ઓનલાઇન ટેક્સ ભરનારને એએમસી દ્વારા વધારાનું 1 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.. પ્રથમ દિવસે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1.68 કરોડની આવક થઈ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1.18 કરોડ અને મધ્ય ઝોનમાં 1.11 કરોડની આવક થઈ છે.જયારે 20 હજારથી વધુ કરદાતાઓએ પ્રથમ દિવસે જ એડવાન્સ ટેકસ ભર્યો છે..આમ મનપા દ્વારા 3 મહિનામા 500 કરોડની ટેક્સ આવક કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.
કયા સમયગાળામાં ટેક્સ ભરસો તો કેટલું રિબેટ મળશે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે. જેમાં 22 એપ્રિલથી 21 મે સુધી ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ, 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરનારને 9 ટકા રિબેટ, તેમજ 22 જૂનથી 21 જુલાઈ સુધી ટેક્સ ભરનારને 8 ટકા રિબેટ મળશે. AMCના આ નિર્ણયથી લોકો નિયમિત ટેક્સ ભરશે જેનો લાભ લોકોને તો ખરો પણ એએમસીને પણ મળશે.
ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે
સાથે જ ઑનલાઇન ટેક્સ પે કરનાર માટે પણ વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.હાલ 40 ટકા લોકો ટેસ્કમાં ઓનલાઇન પેમેન્ટ કરે છે આ સુવિધાનો ફાયદો સીધો જ તેમણે મળશે.તો બીજી તરફ 70 સ્કવેર મિટરથી નાની રહેણાંક મિલકતોને 33.5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે અને બોપલ-ઘુમાના લોકોને બીજા વર્ષે 56 ટકા રિબેટ મળશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.