રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનની દુકાનો પર તવાઇ બોલાવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોના ધંધાને અસર પડી છે. અને માત્ર 20થી 25 ટકા ધંધો થઇ રહ્યો છે.