AMCને વર્ષ 2021-22મા રુ.1553.23 કરોડની ટેક્સની આવક, નક્કી કરેલા રૂ.1420 કરોડના લક્ષ્યાંક સામે રૂ.1553 કરોડની આવક
AMCની ટેક્સની આવકમાં ઐતિહાસિક વધારો
વર્ષ 2021-22મા રૂ.1553.23 કરોડની ટેક્સની આવક
નક્કી કરેલા 1420 કરોડના લક્ષ્યાંક સામે 1553 કરોડની આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવકમાં ઐતિહાસિક વધારો થયો નોંધાયો છે. AMCએ વર્ષ 2021-22માં રૂ.1553.23 કરોડની ટેક્સની આવક થવા પામી છે. તંત્રએ નક્કી કરેલા 1420 કરોડના લક્ષ્યાંક સામે રુ.1553 કરોડની આવક થવા પામી છે.
રૂ.172 કરોડનો ટેક્સ વધારે મળ્યો
ગત વર્ષ કરતા આ વર્ષે AMCને રૂ.172 કરોડનો ટેક્ષ વધારે મળ્યો છે. મહત્વનું છે કે વ્યાજ માફીની યોજના ત્રણ મહિના શરૂ રખાઈ હતી. 2.69 લાખ કરદાતાઓએ વ્યાજ માફીની યોજનાનો લીધો લાભ લીધો હતો. વ્યાજ માફી યોજના હેઠળ રૂ.396 કરોડ રૂપિયાની આવક થવા પામી. જ્યારે આ તરફ જે મિલકતોનો ટેક્સ બાકી હોય તેવી મિલકતોને પણ સીલ કરવામાં આવી હતી. ટેક્સ સિલિંગ ઝુંબેશ હેઠળ 22,218 મિલકતો સીલ કરાઈ હતી તેમજ પ્રોફેશનલ ટેક્સ ન ભરનાર કરદાતાઓને નોટીસ ફટકારતા રૂ.193 કરોડની AMCને આવક થઈ છે.
35 હજાર કરદાતાઓએ વ્હિકલ ટેક્સ ન ભર્યો
અમદાવાદમાં 35 હજાર કરદાતાઓએ વ્હિકલ ટેક્સ ન ભરતા તંત્રને રૂ.88 કરોડની આવક સાથે રૂ.131.58 કરોડનું કલેક્શન થવા પામ્યુ છે. મહત્વનું છે કે
RTO પાસેથી વાહનોના રજિસ્ટ્રેશનનો ડેટા મંગાવી માહિતી મેળવાઈ હતી જેમાં 35 હજાર કરદાતાઓએ વ્હિકલ ટેક્સ ન ભર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરદાતાઓને નોટીસો આપીને ટેક્સ વસુલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને SUV વ્હિકલ પર AMCએ ટેક્સ વધાર્યો હતો.
તંત્રએ મિલકતવેરાની કરી હતી ક઼ડક વસૂલાત
અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસુલાત માટે તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. પહેલી ફેબુ્આરીથી ૨૯ માર્ચ સુધીમાં અમદાવાદ પૂર્વના ચાર ઝોનમાં કુલ મળીને ૯૭૬૨ મિલકત વેરાની વસુલાત માટે સીલ કરવામાં આવી હતી.સૌથી વધુ ઉત્તર ઝોનમાં ૩૦૦૨ મિલકત વેરાની વસુલાત માટે સીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ વર્ષે બાકી મિલકતવેરાની વસુલાત તથા મિલકતવેરાના લક્ષ્યાંકને સિધ્ધ કરવા પહેલી ફેબુ્રઆરી-૨૦૨૨થી જ જે કરદાતાઓનો એક લાખ કે તેથી વધુની રકમનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય એવા કરદાતાઓની મિલકત સીલ કરવાનો તંત્ર તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો.