અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં જણાઈ રહ્યું છે. શહેરમાં પાણીના સેમ્પલ લઇને તપાસવામાં સુસ્તી જોવા મળી રહી છે. આ પગલે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
અગાઉ દર વર્ષે રપ થી ર૬ હજાર પાણીનાં સેમ્પલ લેવાતાં હતાં
તંત્ર દ્વારા સેમ્પલ લેવા મેલેરિયા સ્ટાફને કામે લગાડાયો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપાતી નળ-ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાનાં કામોમાં ભારે બેદરકારી સેવાઇ રહી છે. તંત્રના 'સાહેબો'ને મલાઇ ખાવા માત્ર કરોડો રૂપિયાના મોટા પ્રોજેક્ટોમાં જ રસ હોવાનું છડેચોક ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ ર૪ કલાક પાણી પૂરું પાડવાનાં બણગાં ફૂંકનાર તંત્ર શહેરની ર૦ ટકા વસ્તીને આજે પણ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકતું નથી. કોટ વિસ્તાર સહિતના અનેક વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરની લાઇન મિક્સ થઇ જતી હોઇ લોકોએ દૂષિત પાણી પીવું પડે છે. દૂષિત પાણી પીવાથી હવે બારેમાસ ટાઇફોઇડ અને કોલેરાના કેસ નોંધાઇ રહ્યા છે. તેમ છતાં સત્તાવાળાઓ પાણીનાં સેમ્પલ લેવામાં લાપરવાહી દાખવી રહ્યા છે.
અગાઉ શહેરમાં ચોમાસામાં જ ટાઇફોઇડ અને કોલેરા જેવો પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો હતો, પરંતુ હવે તો આ રોગ બારમાસી બન્યા છે. આ જીવલેણ રોગ હોઇ અનેક દર્દીઓ મૃત્યુ પામે છે.
આ સંજોગોમાં દૂષિત પાણીની ફરિયાદ આવતાં તંત્રે તત્કાળ પાણીનાં સેમ્પલ લેવાં જોઇએ. દૂષિત પાણીમાં ઇ-કોલી તેમજ ટોટલ કોલીફોર્મ તાવના બેક્ટેરિયાથી લોકો ટાઇફોઈડ-કોલેરાના ભોગ બને છે. અગાઉ દર વર્ષે તંત્ર દ્વારા રપ થી ર૬ હજાર પાણીનાં સેમ્પલ લેવાતાં હતાં, પરંતુ ચાલુ વર્ષે સેમ્પલની સંખ્યામાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
કેટલા સેમ્પલ હતા અનફીટ?
છેલ્લે તંત્ર દ્વારા જાહેર કરાયેલાં પાણીનાં સેમ્પલના સત્તાવાર રિપોર્ટ મુજબ જુલાઈમાં કુલ ૪૬૭ર સેમ્પલ પૈકી ૧૪૪ અનિફટ, ઓગસ્ટમાં ૪રપ૭ સેમ્પલમાંથી ૧૦પ અનિફટ અને સપ્ટેમ્બરમાં ૪૦૪પ સેમ્પલમાંથી પપ અનિફટ જાહેર કરાયાં હતાં એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧ર,૯૭ઇ૪ સેમ્પલ પૈકી ૩૦૭ અનિફટ હતાં. ચાલુ વર્ષના પ્રારંભના ત્રણ મહિનામાં તો પાણીનાં સેમ્પલ લેનાર હેલ્થ વિભાગનો સેનેટરી ઇન્સ્પેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં મુકાતાં માંડ ચારથી પાંચ હજાર પાણીનાં સેમ્પલ લેવાયાં હતાં. હવે મેલેરિયા સ્ટાફને કામે લગાડાયો છે. તેમ છતાં પાણીનાં સેમ્પલની સંખ્યામાં ૩૦ ટકા ઘટાડો થતાં સત્તાવાળાઓ રોકી શક્યા નથી.
કેવી રીતે મપાય છે ક્લોરીનની હાજરી?
પીવાના પાણીમાં કલોરિન તપાસવા કસનળીમાં ઓર્થોટોલ્યુરિન સોલ્યુશનનાં બે ટીપાં નખાય છે. આ ટીપાં નાખ્યા બાદ પાણીનો રંગ બદલાઇને પીળાશ પડતો થાય તો તેમાં કલોરિન છે, પરંતુ કલોરિન નીલના કિસ્સામાં પાણીનાં સેમ્પલને દૂધેશ્વર સ્થિત તંત્રની સેન્ટ્રલ લેબમાં મોકલાવાય છે, જ્યાંથી હેલ્થ વિભાગને ૭ર કલાકમાં વિસ્તૃત રિપોર્ટ અપાય છે, જેના આધારે જે તે વિસ્તારની લાઇનને વોશઆઉટ કરાય છે, જોકે જે તે વોર્ડના ઇજનેર વિભાગની પણ પાણીનાં સેમ્પલ લેવાની અને તેમાં કલોરિનની હાજરી તપાસવાની ફરજ આવે છે. તેમ છતાં ઇજનેર વિભાગ ક્યારેય પોતાની ફરજ બજાવતો નથી તેવા આક્ષેપ વારંવાર ઊઠે છે.
એકબીજાના માથે થાય છે દોષારોપણ
દૂષિત પાણીના મામલે પણ ઇજનેર અને હેલ્થ વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે, જેમાં સરવાળે સહન કરવાનું તો શહેરના સામાન્ય નાગરિકોને આવે છે. આના પરિણામે ગત નવેમ્બર-ર૦૧૮માં ટાઇફોઇડના કુલ ૩પ૪ કેસ નોંધાયા હતા. ટાઇફોઇડ ઉપરાંત ઝાડા-ઊલટી, કમળો અને કોલેરાના કેસ પણ ચાલુ વર્ષે તંત્રની બેદરકારીથી વધ્યા છે.