એએમસી દ્વારા તમામ બેંકો સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. સિવિક સેન્ટરમાં હવે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ આધારે પ્રેમેન્ટ લેવામાં આવશે. આજે કમિશનરની આગેવાનીમાં કેશલેસ પેમેન્ટ માટે બેઠક પણ યોજાવાની છે. જેમાં બીઆરટીએસમાં બહારગાથી આવનાર મુસાફરો માટે ટોકન વ્યવસ્થા અને ડેબિટ કાર્ડના ચલણની વ્યવસ્થા કરવામાં આવશે.
જનમિત્ર કાર્ડમાં મુસાફરોને 40 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ કાર્ડ બીઆરટીએસ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટ અને સિવિક સેન્ટરમાં પણ ઉપયોગ કરી શકાશે. જનમિત્ર કાર્ડ તમામ બીઆરટીએસ બસ સ્ટોપ અને એએમટીએસ બસ સ્ટોપની સાથે સાથે તમામ સિવિક સેન્ટરમાંથી જનમિત્ર કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે.