ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમદાવાદ શહેરમાં જોવા મળ્યાં છે. ત્યારે હવે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે AMCએ નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ST બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCનો પ્લાન
ST બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરાયું
મુસાફરો ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત
રાજ્યમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો હોય તો તે અમદાવાદ શહેરમાં છે. આજ સુધી રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જોવા મળી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં સંક્રમણને રોકવા AMCએ નવો એક્શન પ્લાન બનાવ્યો છે.
AMC દ્વાર ST બસ સ્ટોપ પર મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા તમામ મુસાફરોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા શહેરના નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST બસ સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરાયું છે. બહારથી આવતા કે જતા કોઇ મુસાફર સંક્રમિત હશે તો તરત જ સારવાર માટે ખસેડવામાં આવશે.
આ સાથે જો ટેસ્ટિંગ દરમિયાન કે બાદમાં મુસાફર ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં બહારથી આવતા મુસાફરોમાં લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને સમરસ ખાતે સારવાર આપવામાં આવશે.
અમદાવાદમાં કોરોના મુદ્દે AMCની નવી રણનીતિ
અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ નવી રણનીતિ બનાવી છે. ગીતા મંદિર ST બસ સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. રેપિડ કીટ મારફતે મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગીતા મંદિર ST સ્ટોપ પર 172 મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાંથી 1 મુસાફરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને લોખંડવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના 6 જિલ્લામાંથી આવતા મુસાફરોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહેસાણા, ભરૂચ, ખેડા, નડિયાદના મુસાફરોનું ચેકિંગ શરૂ કરાયું છે.