AMCમાં યોજાયેલી BRTSની સામાન્ય સભામાં ઇલેક્ટ્રીક બસને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં AMTS ચેરમેન અતુલ ભાવસારે AMC કમિશનરને સબસીડી વગરની ઇલેક્ટ્રીક બસ કોના લાભાર્થે ખરીદ્યા જેવા તેજ પ્રશ્નો પુછ્યાં હતા. કમિશ્નર વિજય નહેરા તેના જવાબ આપવાની જગ્યાએ બેઠક છોડી ભાગ્યા હતા. જેને પગલે બસની ખરીદીમાં ગોટાળો થયાના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા.
વિજય નહેરા કેમ સબસીડી વગરની 300 બસ ખરીદવા માંગે છે
ચેરમેને વિજય નહેરાનો ઉધડો લીધો
કોર્પોરેશન કેમ ફેમ ઇન્ડિયાની સબસીડીનો ઉપયોગ નથી કરી રહી
આજે અમદાવાદમાં BRTSની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં AMTSના ચેરમેન અતુલ ભાવસારે કમિશનર વિજય નહેરાનો ઉધડો લીધો હતો. આ બેઠકમાં ઈલેક્ટ્રીક બસને લઇને અનેક સવાલે ઉઠ્યા હતા. જેમાં ચેરમેને કહ્યુ હતું કે ઇ- બસોની ખરીદીમાં AMCને રૂ.262 કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન કોણ ભોગવશે. તેનો ખુલાસો ચેરમેને કમિશ્નર પાસે માંગ્યો હતો. તેમજ પુછ્યુ હતું કે, BRTS કોરિડોરની ક્ષમતા નથી તો બસની ખરીદી કેમ કરવામાં આવી છે. સબસીડી વિનાની 300 ઈ-બસ કોના લાભાર્થે ખરીદવામાં આવી છે. જેવા અનેક સવાલોના પ્રહાર કર્યા હતા.
વિજય નહેરા કેમ બેઠક છોડા ભાગ્યા
અતુલ ભાવસારે વિજય નહેરાને પુછ્યું અગાઉ નોંધાયેલી 50 ઇ- બસની ડીલિવરી હજું 10 મહિના મોડી ચાલી રહી છે. તો તમે વધુ 300 બસ લેવાની ઉતાવળ કેમ કરી રહ્યા છે. હજું 50માંથી 18 બસ માત્ર આવી છે અને તમે સબસીડી વગરની 300 બસની કેમ ઉતાવળ કરી રહ્યાં છો. બીજુ કે આ સબસીડી વગરની 300 બસ ખરીદવા કરતા તમે ફેમ ઇન્ડિયા યોજના હેઠળ બસ ખરીદો તો વધારે ફાયદો થશે. જો સબસીડી વગરની આ 300 બસ ખરીદવામાં આવશે તો રુ 262 કરોડનું નુંકસાન કોર્પોરેશનને જશે. AMC કમિશ્નર વિજય નહેરાએ ખુલાસો કરવાને બદલે બેઠક છોડી જતા રહ્યાં હતા. જેને પગલે વિજય નહેરા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા.