અમદાવાદમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિને કારણે તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. અને આ માટે મનપાએ 7 નિર્ણયો લીધા છે જે અંગે મનપા કમિશનર રાજીવ ગુપ્તાએ પરિપત્ર બહાર પાડ્યો છે આ તમામ નિર્ણયો આજથી અમલી બની જશે.
સરકારી-બિન સરકારી તમામ ઓફિસ 33 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે.
ઓફિસ-દુકાનના માલિક કે કર્મચારીઓ કોઈપણ વ્યક્તિ કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી આવીને આવી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાઈ નહીં શકે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સાબરમતી નદીના પૂર્વ ભાગમાં આર્થિક પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવેલ નથી.
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે સાબરમતી નદીનો પશ્ચિમ ભાગ કે જે કન્ટેનમેન્ટ ઝોન બહારનો વિસ્તાર હોઈ ત્યાં પ્રતિબંધિત ન હોય તેવી તમામ આર્થિક પ્રવૃત્તિ માટે ખુલ્લો રહેશે. જેમાં મનપાએ જાહેર કરેલી સૂચનાઓ અનુસરવી પડશે. સાત નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.
1. કન્ટેનમેન્ટ એટલે કે, પ્રતિબંધિત વિસ્તારમાં કોણ વેપાર કરી શકશે?
કન્ટેનમેન્ટ એટલે કે, પ્રતિબંધિત કરેલ સિવાયના તમામ પ્રકારના વેપાર-ધંધા, ઉદ્યોગો (આર્થિક પ્રવૃત્તિઓ) માત્ર સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી જ ખોલી શકાશે. લોક ઈન સુવિધા સાથેના ઉદ્યોગો અને કન્ટીન્યુ અસ પ્રોસેસ વાળા ઉદ્યોગોના કામદારો એક સ્થળેથી બીજા સ્થળે અવર-જવર કરી શકશે નહીં. ફેરીયા ના કિસ્સામાં માત્ર શાકભાજીના ફેરિયાઓ જ વેપાર કરી શકે.
2. અમદાવાદ શહેરના 11 કન્ટેનમેન્ટ વોર્ડ તેમજ એક કન્ટેન્મેન્ટ પોકેટ માટે સૂચના -
અમદાવાદ શહેરના ખાડિયા, અસારવા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, ગોમતીપુર, સરસપુર-રખિયાલ એમ કુલ 11 વોર્ડ તથા ગુલબાઈ ટેકરા સ્લમને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ છે.
કન્ટેનમેન્ટ વોર્ડ સિવાયના પૂર્વ વિસ્તાર વોર્ડ શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, ઠક્કરબાપા નગર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, ભાઈપુરા-હાટકેશ્વર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ઇન્દ્રપુરી, ખોખરા, ઈસનપુર, વટવા, લાંભામાં માત્ર આવશ્યક સેવાઓ જેવી શાકભાજી-ફળફળાદિ, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, હોસ્પિટલો, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડીકલ પ્રેકટિશનર્સ વિગેરે જ સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે..
પૂર્વમાં રહેતાં અને પશ્ચિમ વિસ્તારમાં ધંધો-રોજગાર કરતાં વ્યક્તિઓ પોતાના ધંધા-રોજગાર માટે પશ્ચિમ વિસ્તારમાં જઈ શકશે. પરંતુ, આવી વ્યક્તિ જો તેઓ કન્ટેનમેન્ટ ઝોન એટલે કે યાદી મુજબના 11 વોર્ડ વિસ્તારમાં રહેતા હોય તો તે બહાર નીકળી શકશે નહીં.
3. કન્ટેનમેન્ટ વિસ્તાર માટે નિયમો કડક
માત્ર આવશ્યક સેવાઓ જેવી શાકભાજી-ફળફળાદિ, મેડિકલ સ્ટોર્સ, કરિયાણાની દુકાન, હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રાઈવેટ મેડીકલ પ્રેકટીશનર વગેરે જ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેતા કોઈપણ વ્યક્તિ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર કોઈપણ પ્રકારની અવર-જવર કરી શકશે નહીં.
4. પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
વિમાની સેવાઓ રેલવે સેવા
મેટ્રો રેલ સેવાઓ
એએમટીએસ - બીઆરટીએસ - ઓટો રીક્ષા સેવાઓ
તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક - તાલીમ - કોચિંગ સંસ્થા વગેરે
તમામ સામાજીક-સાંસ્કૃતિક કાર્યક્રમો.
માત્ર લગ્ન મૃત્યુના કિસ્સામાં 20 વ્યકિતના અપવાદ સાથે સમારંભમાં 50 વ્યકિત
COVID-19 માં ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની તમામ હોટલો બંધ શાકભાજીના ફેરિયા સિવાયના તમામ ફેરિયાઓ બંધ
5. આ નિયમો પાળવા પડશે નહીં તો મળશે સજા
તમામ જાહેર તથા કાર્યસ્થળોએ મોં ઉપર માસ્ક નહીં પહેરનારને
જાહેર જગ્યા ઉપર થુંકવા બદલ
સોશિયલ ડીસ્ટર્નિંગ નહીં જાળવવા બદલ
ઉપરની એક પણ બાબત માટે દોષિય હશે તેને રૂા. 200નો દંડ ફટકારાશે.
6. ઓડ-ઈવન નંબર વિશેની સમજુતી
બજાર વિસ્તારોમાં કે જ્યાં એક જ બિલ્ડીંગમાં એક થી વધારે દુકાનો આવેલી છે જેમાં શોપીંગ કોમ્પ્લેક્ષ, દુકાનો તેને જે-તે બિલ્ડીંગ દ્વારા અપાયેલ એકી કે બેકી નંબર ને ધ્યાનમાં રાખી એકી સંખ્યા ની દુકાન એકી તારીખના રોજ અને બેકી સંખ્યા ની દુકાનો બેકી તારીખના રોજ ખુલ્લી રહેશે. જે-તે બિલ્ડીંગમાં કોઈપણ દિવસે 50 ટકા દુકાનો ખુલ્લી રાખી શકાશે. આ બાબતની ખાતરી જે-તે બિલ્ડીંગના એસોસિએશન અથવા તો અન્ય રીતે વેપારીઓએ સાથે મળીને ગોઠવણી કરવાની રહેશે.
છુટી છવાઈ દુકાનો કે સોસાયટી વિસ્તારોમાં આવેલી દુકાનો કે જેમાં વધારે સંખ્યામાં દુકાનો ન હોય તેવી દુકાનોને એકી - બેકી ની પ્રથા લાગુ પડશે નહીં એટલે કે આવી દુકાનો દૈનિક ધોરણે ખુલ્લી રાખી શકાશે.
સરકારી-બિન સરકારી તમામ ઓફિસ 33 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે.
ઓફિસ-દુકાનના માલિક કે કર્મચારીઓ કોઈપણ વ્યક્તિ કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી આવીને આવી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાઈ નહીં શકે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સાબરમતી નદીના પૂર્વ ભાગમાં આર્થિક પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપવામાં આવેલ નથી.
6. સંપૂર્ણ અમદાવાદ શહેરમાં સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સખ્ત કરફ્યુ ની અમલવારી કરવાની રહેશે.
7. શહેરની જનતાના લાભાર્થે જુદીજુદી પ્રવૃત્તિઓને છૂટછાટ આપવામાં આવેલ છે કે કેમ? તેની સ્પષ્ટતા કરતા યાદી બનાવી કોર્પોરેશન દ્વારા જાહેર કરવા સૂચના આપવામાં આવી.