અમદાવાદમાં AMCએ વેક્સિનેશનના મહાઅભિયાનમાં ઓફિસો, ઔદ્યોગિક એકમો, સોસાયટી, ફ્લેટ, મહોલ્લાના કો-ઓર્ડિનેટરે તેની હેઠળ કામ કરતા કર્મચારીએ વેક્સિન લીધી કે કેમ તે તપાસ કરવાની રહેશે
વેકસીનેશન મામલે AMCનો મહત્વનો નિર્ણય
કોવિડ કૉ-ઓર્ડિનેટરની વેક્સિનેશન માટે રહેશે જવાબદાર
ખાનગી એકમોના કર્મઓના વેક્સિનેશનની માહિતી AMCને આપવી પડશે
અમદાવાદમાં તમામ ઓફિસ, ધંધા-રોજગારના એકમો, સોસાયટી સહિતના ક્ષેત્રમાં કોવિડ કૉ-ઓર્ડિનેટરને વેક્સિનેશન અંગે જવાબદારી સોંપાઈ છે. આ કો-ઓર્ડિનેટરોએ પોતાની હેઠળ કાર્યરત કર્મચારીઓના વેક્સિનેશ અંગે રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. અને તેમને વેક્સિન લીધી છે કે નહીં. તેની તપાસ કરવાની રહેશે. જે કર્મચારીએ વેક્સિન લીધી નથી. તેમને આસપાસના સેન્ટર ખાતે તેમનું વેક્સિનેશન થાય તે અંગે કાળજી લેવાની રહેશે.
આ સાથે તમામ કૉ-ઓર્ડિનેટરે એક ફોર્મ પણ જમા કરાવવાનું રહેશે. જેમાં તેમની સંસ્થામાં કાર્યરત કર્મચારીમાંથી કેટલા લોકોનું વેક્સિનેશન થયું છે. અને કેટલાનું બાકી છે. તેની માહિતી એકઠી કરીને જમા કરાવવાની રહેશે. આ સાથે બાકી રહેલા કર્મચારીઓનું વેક્સિનેશન કેટલા સમયમાં પૂર્ણ થશે. તેનું એક બાંયેધરી પત્ર મ્યુનિ.કમિશનરને જમા કરાવવાનું રહેશે.
જે ઓફિસમાં 30થી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. ત્યાં એક કૉ-ઓર્ડિનેટર હોવો જરૂરી છે. આ સાથે જો વેક્સિનેશન મુદ્દે કોઈ પ્રશ્ન છે. અથવા વધુ સંખ્યામાં લોકોનું વેક્સિનેશન કરાવવાનું છે. તો અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અથવા ઝોનલ ઓફિસરને સંપર્ક કરવાનો થશે.