નિયમિત ટેક્સ ભરવનારને થશે મોટો ફાયદો, AMC પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે
AMC એ ટેક્સ રિબેટ યોજનાની કરી જાહેરાત
AMC પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે
બોપલ-ઘુમાના લોકોને બીજા વર્ષે 56 ટકા રિબેટ મળશે
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન વ્યાપાર ઉદ્યોગ લાંબા સમયથી બંધ હાલતમાં હતો. મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને કેટલાય લોકોનો ધંધો ન ચાલવાને કારણે બેંક લોન, વીજળીના બિલ, મિલકત વેરો વગેરે ચૂકવવામાં અસમર્થ હતા.ત્યારે હવે કોરોના થાળે પડતાં AMCએ ટેક્સ રિબેટ યોજનાની જાહેરાત કરી છે.
કયા સમયગાળામાં ટેક્સ ભરસો તો કેટલું રિબેટ મળશે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત ટેક્સમાં 11 ટકા સુધી રિબેટ આપશે. જેમાં 22 એપ્રિલથી 21 મે સુધી ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ, 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરનારને 9 ટકા રિબેટ, તેમજ 22 જૂનથી 21 જુલાઈ સુધી ટેક્સ ભરનારને 8 ટકા રિબેટ મળશે. AMCના આ નિર્ણયથી લોકો નિયમિત ટેક્સ ભરશે જેનો લાભ લોકોને તો ખરો પણ એએમસીને પણ મળશે.
ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે
સાથે જ ઑનલાઇન ટેક્સ પે કરનાર માટે પણ વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓનલાઇન ટેક્સ ભરનારને એક્સ્ટ્રા એક ટકા રિબેટ મળશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.હાલ 40 ટકા લોકો ટેસ્કમાં ઓનલાઇન પેમેન્ટ કરે છે આ સુવિધાનો ફાયદો સીધો જ તેમણે મળશે.તો બીજી તરફ 70 સ્કવેર મિટરથી નાની રહેણાંક મિલકતોને 33.5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે અને બોપલ-ઘુમાના લોકોને બીજા વર્ષે 56 ટકા રિબેટ મળશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.