શું તમે અમદાવાદમાં પ્રથમ વરસાદ પછી તરત જ તૂટી જતા, ખાડા પડી જતા રોડથી ત્રાસેલા છો? તો તમે આ સમાચાર જાણીને રાજી થઇ જશો કે આ વર્ષથી વારંવાર રોડ તૂટી જતા વિસ્તારોમાં AMC ટારના રોડને બદલે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવશે. નોંધનીય છે કે કોન્ક્રીટના રસ્તા 12 થી 15 વર્ષ ટકે છે જયારે ટારના રસ્તા 3 થી 4 જ વર્ષ ટકે છે.
શહેરના છ વિસ્તારોમાં RCCની સડકોના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને વધુ વિસ્તારો માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગોતા, ચાંદખેડા, સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા અને અન્ય વિસ્તારોમાં RCCની સડકોના નિર્માણ થઇ શકે છે કે નહિ તે માટે સર્વે ચાલી રહ્યા છે.
નોંધનીય છે કે જે સડકો ઉપર પહેલેથી ડ્રેનેજ, પાણી, ગેસ અને ઈલેક્ટ્રીસીટીની લાઈનો પહેલેથી નખાઈ ગયા છે ત્યાં જ RCCની સડકોનું નિર્માણ શક્ય છે. અધિકારીઓ અને એન્જીનીયરોના મતે RCC રોડ એટલા મજબૂત હોય છે કે એક વખત બની ગયા પછી રિપેરિંગ માટે કે અન્ડરગ્રાઉન્ડ લાઈન બદલવા તેમને ખોદવા અશક્ય છે.
સિમેન્ટ કોન્ક્રીટની સડકોનો ખર્ચ
ટાર રોડ કરતા RCC સડક બનાવવાનો ખર્ચ વધુ હોય છે. RCC રોડ 3500 રૂપિયા પ્રતિ સ્કવેર મીટરના ખર્ચે બને છે જયારે ટાર રોડ 2000 રૂપિયા પ્રતિ સ્કવેર મીટર છે. જો કે આ સડકો વધુ ટકાઉ છે આથી આ ખર્ચો વસુલ છે એમ ગણી શકાય.
કામ શરુ થઇ ગયું છે
IIM A થી વસ્ત્રાપુર તળાવ (ખર્ચ રૂપિયા 4.15 કરોડ)
કર્ણાવતી ક્લબ થી મહોમ્મદપુરા (ખર્ચ રૂપિયા 10.22 કરોડ)
રામદેવનગર થી રાજ સૂર્ય બંગ્લોઝ (ખર્ચ રૂપિયા 4.65 કરોડ)
ગંગોત્રી સર્કલ થી મનમોહન ચાર રસ્તા (ખર્ચ રૂપિયા 9.95 કરોડ)
પીપળજ થી કામોદ (ખર્ચ રૂપિયા 12.78 કરોડ)
રામ ચોક થી મનોહર વિલા ચાર રસ્તા (ખર્ચ રૂપિયા 12.30 કરોડ)