અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા AMC હરકતમાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શહેરમાં રાઉન્ડ પર નિકળ્યા. સોશિયલ ડિસ્ટંસિંગનો ભંગ થતા વસ્ત્રાપુર તળાવ નજીક ખાણીપીણી બજાર બંધ કરાવ્યું હતું. સિંધુ ભવન રોડ પર આવેલ દેવરાજ ફાર્મ, બિસ્મીલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર અને SBR ફૂડ સિલ કરાયું હતું.
અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા AMC હરકતમાં
સીંધુભવન રોડ અને વસ્ત્રાપુર તળાવ નજીક ખાણીપીણી બજાર બંધ કરાવ્યું
સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા થતા બજાર બંધ કરાવ્યુ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCએ કડક કાર્યવાહી કરી છે. વસ્ત્રાપુર તળાવ નજીક ખાણીપીણી બજાર બંધ કરાવ્યુ હતું. જ્યારે સિંધુભવન રોડ પર કેટલાક ફૂટના સ્ટોલ બંધ કરાયા હતા. મોટી સંખ્યામાં ભીડ એકઠી થતા AMCએ કાર્યવાહી કરી હતી.
રવિવારે AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ઘટ્યા
તો બીજી તરફ અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા છે. શહેરમાં હાલમાં 208 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જ છે. રવિવારે 20 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત જાહેર કરાયા છે. જ્યારે 7 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 8 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 1, નોર્થ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ફરીથી સતર્ક બન્યું છે. અમદાવાદમાં ફરી ટેસ્ટિંગમાં વધારો થયો છે. અગ્રેસીવ ટેસ્ટિંગની રણનીતિ બાદ કેસમાં વધારો થયો છે.