ભાવનગરમાં દર્દીને સારવાર અર્થે લઇ જતી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જતાં લોકોએ ધક્કા લગાવી મહામહેનતે બહાર કાઢી હતી.
ભાવનગરના કુંભરવાડામાં રોડ પર ખાડામાં એમ્બ્યુલન્સ અટવાઈ
દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ
સ્થાનિકોએ ધક્કા લગાવીને એમ્બ્યુલન્સ બહાર કાઢી
ગુજરાતમાં ભારે વરસાદને લઈએ ગામડાથી માંડી શહેરો અને નેશનલ હાઇ વેની હાલત ખરાબ થઇ છે. જેને લઈને લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તેવામાં ભાવનગરના કુંભરવાડામાં રોડ પરની હાલત ખખડધજ બની છે. જેના રિપેરિંગ માટે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં માર્ગની મરામત હાથ ધરવામાં ન આવતા લોકોને સમસ્યા જન્મી છે. તેવામાં આજે ભાવનગરના કુંભરવાડામાં રોડ પર મસમોટા ખાડામાં એમ્બ્યુલન્સ અટકાઇ ગઇ હતી.
#Bhavnagar માં જુઓ કેવી છે રસ્તાની હાલત#ભાવનગર ના માધિયારોડ પાસે કુંભરવાડામાં રોડ પર ખાડામાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. સ્થાનિકોએ એમ્બ્યુલન્સને ધક્કા લગાવીને એમ્બ્યુલન્સ બહાર કાઢી હતી. ઘણા સમયથી સ્થાનિકો રોડના સમારકામની રજૂઆત કરી રહ્યા છે. pic.twitter.com/h5i2Z0c3Es
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 22, 2022
ઘણા સમયથી સ્થાનિકો કરી રહ્યા છે રોડના સમારકામની રજૂઆત
ભાવનગરના કુંભરવાડામાં રોડ પર આવેલા માધિયા રોડ પાસે ખાડામાં દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી 108 એમ્બ્યુલન્સ અટવાઈ પડી હતી. જેને લઈને તંત્રના પાપે દર્દીને પીડા સહન કરવાનો વારો આવ્યો હતો. આથી સ્થાનિકોને જાણ કરાતા લોકોએ ધક્કા લગાવીને એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. મહત્વનું છે કે, આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાથી સ્થાનિકો રોડના સમારકામની લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. પરંતુના રોડ સમારકામ મામલે તંત્રની નિરસતાને લઈને બીમાર માર્ગને લીધે દર્દીને વધુ સમય પીડા ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા જાગી હતી કે, કોઈ દર્દીની ઇમરજન્સી સારવાર વેળાએ એમ્બ્યુલન્સ હોય અને સારવારના અભાવે અજુગતું બને તો જવાબદાર કોણ ?