કોરોના વાયરસથી બચવા માટે કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકાર એટલું ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ ભૂલના કારણે લોકોમાં કોરોના ન ફેલાય. ત્યારે કેટલાક લોકોની બેદરકારી બિમારીને ફેલાવવામાં આગમાં ઘી હોમવા જેવું કામ કરે છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે.
મુંબઈ એક વીડિયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો
સૌથી વઘારે કેસ 177 મહારાષ્ટ્રમાં નોંધાયા છે
કોરોનાના શંકારસ્પદ દર્દીને લેવા આવનાર એમ્બ્યુલન્સની નર્સે કરી આ મુર્ખામી
મુંબઈના બંદ્રા કોમ્પલેક્ષ, મહાકાળી અંધેરીનો હોવાનું મનાઈ રહ્યું છે. જ્યાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીને લેવા માટે આવેલી એમ્બ્યુલન્સનો સ્ટાફ પોતાના હાથના દસ્તાના ખુલ્લામાં જ ફેંકીને ચાલ્યા ગયા. એવામાં વિચારવા જેવી વાત એ છે કે સ્ટાફનું આટલું બેજવાબદાર વર્તન લોકોના જીવને જોખમમાં મુકી દેનારું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી સૌથી વધારે ભારતમાં 918 કેસ નોંધાય છે. જેમાં સૌથી વઘારે કેસ 177 મહારાષ્ટ્રમાં નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 20ના મોત નિપજ્યા છે. જેમાંથી 5ના મહારાષ્ટ્રમાં થયા છે. શુક્રવારે રાજ્યમાં એક કોરોના સંક્રમિત મહિલા અને એક શંકાસ્પદ કેસમાં ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે આવી બેદરકારી સામે આવી છે.