શનિવારની સવારે માઠા સમાચાર આવ્યા હતા. મોરબી પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ જવાની દૂર્ઘટના સર્જાઈ હતી.
મોરબીમાં એમ્બ્યુલન્સ પલટી જતા 3ના મૃત્યુ
હળવદના ધનાળા ગામના પાટીયા પાસે અકસ્માત
ઇજાગ્રસ્ત 2 વ્યક્તિઓને મોરબી રીફર કરાયા
મોરબીમાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. એમ્બ્યુલન્સ પલટી જતા 3ના મૃત્યુ થયા છે અને 2 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. . ઇજાગ્રસ્ત 2 વ્યક્તિઓને મોરબી રીફર કરાયા છે.
એમ્બ્યુલન્સ અમદાવાદથી માંડવીના લયજા જઇ રહી હતી
એમ્બ્યુલન્સ અમદાવાદથી માંડવીના લયજા જઇ રહી હતી. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના 3 લોકોના મોત
હળવદ નજીક સર્જાયેલા અકસ્માતમાં ગઢવી પરિવારના 3 સભ્યોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે રામભાઈ નારાયણભાઈ ગઢવી (35 વર્ષ) અને ડ્રાઈવર પિન્ટુભાઈ (27 વર્ષ)ને ઈજાઓ થતાં સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકોના ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.
મોરબીમાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે એમ્બ્યુલન્સ પલટી જતા 3ના મૃત્યું#morbi#Accident