ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત પછી 2 મહિનાની અંદર જ અંબાતિ રાયડૂએ યૂ-ટર્ન લીધો.
33 વર્ષનો અંબાતી રાયડૂ ફરી રમવા માટે તૈયાર છે, તે આગામી ઘરેલૂ સિઝનમાં હૈદરાબાદમાંથી રમી શકે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. અંબાતી રાયડૂ પર વર્લ્ડ કપ 2019 માટે ધ્યાન ના આપવા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. અંબાતી રાયડૂએ પોતાની ઉપલબ્ધતા વિશે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA) ને સૂચિત કર્યુ છે.
અંબાતી રાયડૂએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA) ને લખ્યુ કે, ''હું રિટાયરમેન્ટમાંથી વાપસી કરવા માંગુ છું અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રમવા ઇચ્છું છું.''
અંબાતી રાયડૂ અનુસાર, ''હું ચેન્નાઇ સુપર કિંગ્સ, વીવીએસ લક્ષ્મણ અને નોએલ ડેવિડનો આભાર વ્યક્ત કરું છું, તેમણે મને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો અને સમજાવ્યુ કે, મારામાં હજુ પણ ક્રિકેટ બાકી છે. હું હૈદારબાદ ટીમ માટે રાહ જોઇ રહ્યો છું, હું હૈદરાબાદની ટીમ સાથે જોડાવવા માટે 10 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ રહીશ.''
આ પછી હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના CEOએ કહ્યું કે, " અંબાતી રાયડુએ નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે અને 2019-20માં હૈદરાબાદ માટે તમામ ફોર્મેટમાં રમવા માટે ઉપલબ્ધ છે." અંબાતી રાયડૂના આ નિર્ણયથી HCA ના ચીફ સિલેક્ટર નોએલ ડેવિડ ખુશ છે. તેમણે કહ્યુ કે, ''આ અમારા માટે સારા સમાચાર છે. મને લાગે છે કે, તેમની અંદર હજુ પણ ક્રિકેટના પાંચ વર્ષ બાકી છે. ગત વર્ષે અમે તેમની વગર રણજી ટ્રોફીમાં સંઘર્ષ કર્યો હતો. અંબાતી રાયડૂનું સ્તર અને તેનો અનુભવ અમને કામ આવશે, તેમની રમતની સકારાત્મક અસર પડશે, કેમકે તેઓ તમામ ફોર્મેટમાં રમે છે. મને વિશ્વાસ છે કે તેમને તમામ તરફથી સમર્થન મળશે.''
આ કારણથી લીધો હતો સંન્યાસ:
અંબાતી રાયડૂને ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી ન હતી, જે પછી તેણે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી સ્ટેન્ડબાય ખિલાડી તરીકે તેની પસંદગી કરવામાં આવી, પરંતુ શિખર ધવન ઇજાગ્રસ્ત થયા પછી રિપ્લેસમેન્ટ તરીકે તેની જગ્યા પર રિષભ પંત અને પછી જ્યારે વિજય શંકર બહાર થયો ત્યારે મયંક અગ્રવાલને જગ્યા મળી, જે પછી રાયડુએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
આ ક્રિકેટર ટીમ ઇન્ડિયા માટે 55 વનડે મેચ રમી છે અને તેની એવરેજ 47.05 ની છે જેમાં 1694 રન કર્યા છે. રાયડૂએ 3 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી કરી છે. આ સિવાય T-20 મેચની 5 ઇનિંગમાં 10.50 ની એવરેજથી 42 રન કર્યા છે. રાયડૂએ પોતની વનડે ડેબ્યૂ 2013માં કર્યુ હતુ. વર્લ્ડ કપ માટે ચોથા સ્થાન પર પોતાની પાર્ટનરશિપ મજબૂત કરવા માટે રાયડૂને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા સંન્યાસ લઇ ચૂક્યો છે, તેણે અત્યાર સુધી કોઇ ટેસ્ટ મેચ નથી રમી.